SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮] ભાવ ઉપક્રમનાં દાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તારી ઈચ્છા મુજબ કર. તારો પતિ તારા વચનનો કદિપણ અનાદર નહિ કરે. તે પછી બ્રાહ્મણીએ બીજી પુત્રીને ઉપર મુજબ શીખવ્યું, અને તેણીએ પણ તે પ્રમાણે પોતાના પતિના મસ્તકે લાત મારી એટલે તેનો પતિ બોલ્યો, “અરે ! કુલીન અબળાને આમ કરવું યોગ્ય નથી.' ઈત્યાદિ કહીને ક્ષણવાર રોશ કરીને શાંત થઈ ગયો, બીજે દિવસે બનેલો બનાવ તેણીએ પોતાની માતાને કહ્યો. એટલે તેણીએ કહ્યું કે બેટા તું પણ તારા ગૃહમાં ઈચ્છા મુજબ રહેજે, માત્ર થોડીવાર ક્રોધ કરીને તારો પતિ શાન્ત થઈ જશે.' એજ પ્રમાણે ત્રીજી પુત્રીને શીખવવાથી તેણીએ એ પ્રમાણે પતિને લાત મારી, એટલે તેના પતિએ અતિક્રોધપૂર્વક ગર્જના કરીને કહ્યું “અરે ! તું ખરેખર કોઈ નીચકુળની જણાય છે, એમ ન હોય તો નીચ અબળાને યોગ્ય આવું નીચ કામ તું કેમ કરે ઈત્યાદિ ઘણું ઘણું કહીને અતિશય માર મારીને ગૃહ બહાર કાઢી મૂકી. બીજે દિવસે બનેલી હકીકત તેણે માતાને જણાવી. એટલે જમાઈનો સ્વભાવ જાણીને વિચાર્યું કે જમાઈને સમજાવવાનું કામ પુત્રી માટે અશકય છે. તેથી તે જમાઈ પાસે ગઈ અને બોલી કે “હે પુત્ર ! અમારા કુળનો રીવાજ છે, કે વહુએ પ્રથમ સમાગમે પતિને આ પ્રમાણે કરવું.' આમ હોવાથી તમારો રોષ ઉચિત નથી, ઇત્યાદિ રીતે જમાઈને સમજાવીને ખુશી કર્યો. પછી પુત્રીને કહ્યું બેટા ! આ તારો પતિ તારે દુરારાધ્ય છે, તેથી ઈષ્ટદેવની પેઠે પ્રમાદરહિત એની સેવા કરજે, નહિ તો તું મહાદુઃખ પામીશ.' ગણિકાનું દૉતઃ- કોઈ એક નગરમાં ચોસઠ કળા જાણનાર દેવદત્તા નામની રૂપાદિ ગુણવાળી વેશ્યા રહેતી હતી. તેણીએ પોતાને ત્યાં આવનાર કામી જનોના અભિપ્રાય જાણવાને માટે રતિભુવનમાં પોતપોતાનો વ્યાપાર કરતી રાજપુત્ર-વૈશ્યપુત્ર આદિ જાતિઓના આલેખો ચીતરાવ્યા. તેથી ત્યાં જે કોઈ રાજપુત્રાદિ આવે, તે તે આલેખનો પોતાને અનુકુળ વ્યાપાર જોઈને, તે તે ચિત્રની પ્રશંસા કરે. આ ઉપરથી તે ગણિકા પ્રશંસા કરનારની જાતિનો નિશ્ચય કરીને, તે પ્રશંસકને યોગ્ય સેવા બરદાસ કરતી હતી, જેથી તેઓ પ્રસન્ન થઈને ગણિકાને પુષ્કળ દ્રવ્ય આપતા. અમાત્યનું દષ્ટાન્ત :- કોઈક નગરનો રાજા પોતાના અમાત્ય (પ્રધાન) સાથે નગર બહાર અશ્વ ફેરવવા નીકળ્યો. માર્ગમાં જતાં કોઈશૂન્ય પ્રદેશમાં રાજાના અધે પેશાબ કર્યો. એ જગ્યાની પૃથ્વીનો ભાગ સ્થિર હોવાથી ત્યાં ખાબોચીયું ભરાઈ રહ્યું. રાજા ફરીને પાછો આવ્યો, તો પણ તે પેશાબ સુકાયો નહિ, અને તેજ પ્રમાણે ખાબોચીયું ભરેલું જોયું. આથી રાજાએ વિચાર્યું કે આ પ્રદેશમાં સુંદર તળાવ બંધાવ્યું હોય, તો ઘણા વખત સુધી પાણી સુકાય નહિ. એમ વિચાર કરતો ઘણા વખત સુધી રાજા તે પ્રદેશને જોઈ રહ્યો. આ ઉપરથી ઇંગિતાકારવડે રાજાનો તે અભિપ્રાય જાણીને, પ્રધાને તે સ્થળે કેટલાક વખત પછી રાજાના હુકમ સિવાય મોટું સરોવર ખોદાવ્યું. અને તે સરોવરની પાળ ઉપર નાના પ્રકારના સર્વ ઋતુમાં પુષ્પ-ફળ આપનાર વૃક્ષોનો સમૂહ રોપ્યો. તે પછી કેટલાક દિવસો વીત્યા બાદ એજ માર્ગે રાજા પુનઃ ફરવા નીકળ્યો અને તે સરોવર જોયું, તેથી પ્રધાનને પૂછયું, અહો ! આ માનસરોવર જેવું અતિ રમણીય સરોવર અહીં કોણે કરાવ્યું ? પ્રધાને કહ્યું- મહારાજ આપે જ કરાવ્યું છે. રાજાએ સાંભળીને વિસ્મય પૂર્વક બોલ્યો, “પ્રધાનજી શું કહો છો ? મેં એ કરાવવાની કોને ? કયારે આજ્ઞા આપી છે.?' આ ઉપરથી પ્રધાને પૂર્વોકત સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy