SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] કેવળજ્ઞાનનું સ્વરૂપ. [૩૪૫ સર્વ દ્રવ્યના યથાયોગ્ય પ્રયોગ-વિસ્રસા-મિશ્રથી જન્ય પરિણામો એટલે ઉત્પાદ-વ્યય આદિ સર્વ પર્યાયો, તેના ભાવ એટલે સ્વલક્ષણ-સત્તા, તેનું જ્ઞાન, અથવા વિશેષજ્ઞાનનું કારણ તે કેવળજ્ઞાન. વધારે શું કહેવું, સર્વ પદાર્થને સર્વથા પ્રકારે નિરંતર સર્વપર્યાયથી જાણે, સર્વ આવરણરહિત એવું એક જ કેવળજ્ઞાન પ્રકાશે છે. તે પર્યાયથી અનન્ત છે, નિરંતર ઉપયોગવાળું હોવાથી શાશ્વતું છે, નાશ નહિ પામતું હોવાથી અપ્રતિપાતી છે અને સર્વ શુદ્ધિવાળું હોવાથી એકજ પ્રકારે છે. ૮૨૪ થી ૮૨૮. પ્રશ્ન :- જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા જે તીર્થંકરાદિ, તે શબ્દ વડે દેશના આપે છે, તો તે શબ્દ દ્રવ્યશ્રુત છે, અને એ દ્રવ્યશ્રુત ભાવશ્રુત વિના પ્રાયઃ નથી હોતું. અને એમ હોવાથી કેવળીને ભાવદ્યુતની પ્રાપ્તિ કેમ ન થાય ? ઉપરોક્ત શિષ્યની શંકાનું સમાધાન કરવા શ્રીગુરૂ કહે છે કે સ્થે, નવું ને તત્ય પન્નવળનોને । (૦૮) વનના ते भासइ तित्थयरो, वड्जोगसुयं हवइ सेसं ॥ ८२९ ॥ કેવળજ્ઞાનવડે અર્થ જાણીને તેમાં જે અર્થ કહેવા યોગ્ય હોય તેને તીર્થંકર બોલે છે, તે બોલવું (તેમને) વચનયોગ છે, પણ તે બાકીનાઓને શ્રુત છે. જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે તીર્થંકરાદિ ધર્માસ્તિકાયાદિ મૂર્ત કે અમૂર્ત, અભિલાપ્ય અથવા અનભિલાપ્ય પદાર્થો કેવળજ્ઞાનવડેજ જાણીને તેમાંથી કહી શકાય એવા યોગ્ય અર્થોને કહે છે; પણ શ્રુતજ્ઞાનવડે જાણીને નથી કહેતા, કેમકે શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે અને કેવળીને કેવળજ્ઞાન તો ક્ષાયિક છે, જેમ સર્વથા શુદ્ધ પટમાં થોડી શુદ્ધિ છે એમ કહેવું અયોગ્ય છે, તેમ કેવળજ્ઞાન છતે શ્રુતજ્ઞાન છે એમ કહેવું અયોગ્ય છે. કેવળજ્ઞાની ઉપર કહ્યા મુજબ કહી શકાય એવા સર્વ અભિલાપ્ય અર્થોમાંથી, ગ્રહણ કરનારની શક્તિની અપેક્ષાએ જેને જેટલા યોગ્ય હોય તેટલા અભિલાપ્ય અર્થોજ કહે છે, જેમ ગણધર મહારાજને ઉત્પાદાદિ ત્રણ પદ કહેવાથી સર્વ અર્થોનું જ્ઞાન થાય છે, તેમ સર્વ પ્રાણિને યોગ્ય અર્થો કહે છે, પણ સર્વ અભિલાપ્ય અર્થ નથી કહેતા, કેમકે સર્વ અભિલાપ્ય (કહી શકાય એવા) અર્થો અનન્તા છે અને આયુષ પરિમિત છે, તેથી સર્વ અભિલાપ્યો પણ કહી શકાય નહિ, તેમાં કેવળજ્ઞાનવડે જણાએલ અર્થ કહેનાર શબ્દોનો સમૂહ, તે કેવળી ભગવાને નામકર્મોદય જન્મ વચનયોગજ છે, પરન્તુ શ્રુત નથી, કેમકે શ્રુત તો ક્ષાયોપમિક છે અને કેવળીનું જ્ઞાન તો ક્ષાયિક છે, તેથી તેમને ભાવશ્રુત નથી. પ્રશ્ન :- વચનયોગ એટલે વચનપરિસ્પંદ અથવા વચનવીર્ય, તે ભલે નામકર્મોદય જન્ય હોય, પરન્તુ ઉપદેશ આપનાર કેવળીના પુદ્ગલાત્મક શબ્દો શા રૂપ છે ? ઉત્તર :- એ શબ્દો પણ સાંભળનારાઓને ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુતજ છે, પણ ભાવશ્રુત નથી. જે છદ્મસ્થ ગણધરાદિનું શ્રુતગ્રંથાનુસારી જ્ઞાન છે, તેજ કેવળીગત જ્ઞાનની અપેક્ષાએ ભાવશ્રુત છે. પણ કેવળીનું જ્ઞાન તે ભાવશ્રુત નથી, કેમકે તેમને તે જ્ઞાન ક્ષાયિક છે, અને ભાવશ્રુત તો ક્ષાયોપમિક છે. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy