SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દેવપણા આદિમાં શ્રુતનું સ્મરણ ને નાશનાં કારણો. [૨૫૩ મનુષ્ય ઘટ-પટ આદિ નાશ પામે છે, તે તે વસ્તુ જો સર્વથા અન્વયરહિત નાશ પામતી હોય, તો કાળ અનંત હોવાથી અનુક્રમે સર્વજીવ અને પુદ્ગલાદિ સમૂહનો ઉચ્છેદ (નાશ) થાય અને તેથી આખું વિશ્વ શૂન્ય બની જેય. તેથી શ્રુતના આધારભૂત દ્રવ્યો સર્વ વિદ્યમાન હોવાથી, તેમનાથી અભિન્ન તેના પર્યાયરૂપ શ્રુત પણ તરૂપજ છે, એટલે અનાદિ અનંત છે. અનિત્યવાદિ-પર્યાયાસ્તિક નયના અભિપ્રાયે તો આ શ્રુત જીવના નારકાદિપર્યાયની પેઠે અનિત્ય હોવાથી સાદિ-સાંત છે. જેમકે શ્રુતજ્ઞાનવાળાને નિરંતર જુદા જુદા દ્રવ્યાદિ સંબંધી ઉપયોગો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વળી શ્રુત તેમનાથી કંઇ જુદું નથી કેમકે તેના કાર્યભૂત જીવાદિ તત્ત્વનો બોધ અન્ય સ્થળે જણાતો નથી. અન્ય સ્થળે એ બોધ નહિ જણાયા છતાં પણ જો ત્યાં તેની કલ્પના કરીએ તો અતિપ્રસંગ થાય. માટે દ્રવ્યાદિમાં શ્રુતનો ઉપયોગ સાદિ-સાંત છે. ૫૩૭. હવે નયની અપેક્ષા સિવાય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવની અપેક્ષાએ શ્રુતનું સાદિ અનાદિ વિગેરે સ્વરૂપ કહે છે. दव्वाइणा व साइयमणाइयं संतमंतरहियं वा । दव्वम्मि एक्कपुरिसं, पडुच्च साई सनिहणं च ॥ ५३८ ॥ દ્રવ્યાદિની (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ને ભાવની) અપેક્ષાએ શ્રુત, સાદિ-અનાદિ-સાંત ને અનંત છે. દ્રવ્યમાં એક પુરૂષની અપેક્ષાએ શ્રુત સાદિ અને સાંત છે. કારણ चोहसपुब्बी मणुओ, देवत्ते तं न संभरइ सव्वं । देसम्म होइ भयणा, सट्टाणभवेऽवि भयणा उ ।। ५३९ ।। કોઇ ચૌદપૂર્વધર મનુષ્યને (મરણ પામ્યા પછી) દેવપણામાં તે સર્વશ્રુત નથી સાંભરતું, કેટલુંક સાંભરે અને કેટલુંક ન સાંભરે. મનુષ્યભવમાં પણ એ મુજબ ભજના જાણવી. ૫૩૯. કોઇ ચૌદપૂર્વધર મુનિ મરણ પામીને દેવલોકમાં ગયેલ હોય, તેને ત્યાં પૂર્વે ભણેલું બધું સર્વશ્રુત નથી સાંભરતું, પણ કલ્પચૂર્ણિના અનુસારે અગીયાર અંગરૂપ અથવા કોટ્યાચાર્યના મતે અર્ધસૂત્ર માત્ર સાંભરે છે. મનુષ્યજન્મમાં પણ ભજના છે, મિથ્યાત્વાદિ કારણોથી કોઇનું શ્રુતજ્ઞાન પડી જાય છે, અને કોઇને એ કારણોના અભાવે નથી પણ પડતું, કેમકે એ મિથ્યાત્વાદિજ શ્રુતને પાડવામાં કારણભૂત છે. ૫૩૯. તેજ કહે છે Jain Education International મિચ્છ-મવંતર-વલ-નેતન્ન-પાયમાળા નાસો | आह किमत्थं नास, किं जीवाओ तयं भिण्णं ? ॥ ५४० ॥ કોઇ આ ભવમાં રહેનારને મિથ્યાત્વની પ્રાપ્તિ-ભવાંતર ગમન-કેવળજ્ઞાનની ઉત્પત્તિ ગ્લાન અવસ્થા-અને પ્રમાદાદિવડે શ્રુતનો નાશ થાય છે. (આ પ્રમાણે એકજીવ દ્રવ્યની અપેક્ષાએ જયારે શ્રુતનો લાભ થાય ત્યારે આદિ, અને નાશ થાય ત્યારે અંત તેથી શ્રુત સાદિ-સાંત છે.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy