SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] યોગભેદનો વિચાર. [૧૮૩ પ્રશ્ન - “સર્વ વક્તાઓ કાયયોગ વડે શબ્દ દ્રવ્ય ગ્રહણ કરે છે.” આપનું એ કથન માની શકાય છે, કેમકે કાયાના વ્યાપાર સિવાય દ્રવ્ય ગ્રહણ કરી શકાય નહિ; પરંતુ “વચનયોગ વડે શબ્દ મૂકે છે” એમ આપે કહ્યું છે, તે માની શકાતું નથી, કેમ કે ગ્રહણ કરાતી ભાષાને જીવવ્યાપારરૂપ યોગનો અભાવ હોવાથી, આપ કહો છો તેમ સંભવતું નથી. અર્થાતુ આપ જેને વચનયોગ કહો છો, તે વચનયોગ વક્તાએ મુકેલ ભાષાદ્રવ્યના સમૂહરૂપ વાચા જ છે ? કે એ ભાષાને મૂકવાના હેતુભૂત કાયાનો વ્યાપાર છે ? યોગ તો શરીરજીવનો વ્યાપાર છે. તે પુદ્ગલ પરિણામ સ્વરૂપ નથી, જયારે ભાષા તો જીવવ્યાપાર નથી અને પુગલ પરિણામ સ્વરૂપ છે. તથા ભાષા પોતે જ મુકાય છે, માટે કર્મ છે. જે કર્મ હોય તે કરણ ન બને. ભાષાથી કાંઈ પણ મુકાતું નથી, તેથી ભાષા જ વચનયોગ છે, એવો જે પ્રથમ પક્ષનો વિકલ્પ તે યોગ્ય નથી. હવે બીજા વિકલ્પથી કાયાનો વ્યાપાર એજ વચનયોગ છે. એમ આપ કહેતા હો, તો કાયયોગવડે શબ્દ મૂકે છે એમ કહેવું જોઈએ, પણ વચનયોગવડે મૂકે છે એમ શા માટે કહો છો ? ઉત્તર :- મનોયોગ અને વચનયોગ કાયાનો વ્યાપાર વિશેષ છે. પણ કાયાનો સામાન્ય વ્યાપાર નથી. કારણકે દેહધારી જીવોને કાયયોગ સર્વ અવસ્થામાં હોય છે. કેવળ અશરીરી સિદ્ધાત્માઓને જ કાયયોગ નથી. માટે ભાષા નીકળતી વખતે વચનયોગરૂપ વિશિષ્ટ પ્રકારનો કાયયોગ જ છે. ૩૫૬ થી ૩૫૮. - પ્રશ્ન :- જો વિશિષ્ટ પ્રકારનો કાયયોગજ મનોયોગ અને વચનયોગ છે, તો પછી એ મનોયોગ અને વચનયોગ સંબંધી કથા જ શા માટે કરવી ? ઉત્તર :- સર્વ સ્થળે કાયયોગ અનુગત હોવાથી, જે યોગ વડે મનોદ્રવ્ય અને વચનદ્રવ્ય ગ્રહણ કરાય છે તે કાયયોગ છે. અને જે યોગવડે તે વચન મુકાય તે વચનયોગ. અને જે યોગવડે ચિંતન કરવામાં મનોદ્રવ્ય વપરાય તે મનોયોગ છે. એમ એક કાયયોગ જ ઉપાધિના ભેદથી ત્રણ પ્રકારે છે, ખરી રીતે તો સર્વત્ર એક કાયયોગ જ છે. ૩૫૯. શ્વાસોશ્વાસને યોગ્ય પુદ્ગલ દ્રવ્ય કાયયોગવડે જ ગ્રહણ કરાતા હોવાથી, શ્વાસોશ્વાસનો વ્યાપાર જેમ કાયયોગ છે, તેમ તતદ્ વચન અને મનનને યોગ્ય દ્રવ્યસમૂહ કાયયોગ વડે જ ગ્રહણ થતાં હોવાથી, વચનયોગ અને મનોયોગ પણ કાયયોગ જ છે. જો શ્વાસોશ્વાસનાં વ્યાપારને કાયયોગ ન માનીએ, તો તેને ચોથો યોગ માનવો અનુચિત હોવાથી, તે કાયયોગ જ છે પ્રશ્ન :- સર્વત્ર કાયયોગ સમાન છતાં, મનોયોગ અને વચનયોગ કાયયોગથી જેમ જુદા ગણ્યા છે, તેમ શ્વાસોશ્વાસને પણ કાયયોગથી જુદો ગણીને ચોથો યોગ શા માટે ન માનવો ? અને જો એ માન્યતા અયોગ્ય હોય, તો મનોયોગ અને વચનયોગને પણ કાયયોગથી જુદા ગણીને તેમના જુદા યોગ શા માટે માનવા? અર્થાત્ સર્વત્ર કાયયોગ સમાન હોવાથી એક કાયયોગ જ માનવો, અથવા તો ઉપાધિના ભેદે ચાર યોગ માનવા. ઉત્તર :- લોક અને લોકોત્તર વ્યવહારની સિદ્ધિ માટે મનોયોગ તથા વચનયોગને કાયયોગથી જુદા માન્યા છે, અને શ્વાસોશ્વાસને જુદો નથી માન્યો. ૩૬ ૧. સ્વાધ્યાય કરવો બીજાને પ્રતીતિ કરાવવી વિગેરે વાણીનું ફળ, અને ધર્મ ધ્યાન-ચિંતન વિગેરે મનનું ફળ, એ જેમ કાયયોગથી ભિન્ન જણાય છે, તેમ શ્વાસોશ્વાસનું ફળ કાયયોગથી જુદું નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy