SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વાદ ચોમાસું કરવા આજ્ઞા ફરમાવવા વિનંતિ કરી. આપે એમની વિનંતિને માન્ય કરી ઉક્ત મહાત્માઓને અમદાવાદ ચોમાસું કરવા આજ્ઞા ફરમાવી. અત્રેથી વિહાર કરી વડેદરા શ્રી સંઘની વિનંતિથી ચોમાસું કરવા વડેદરે પધાર્યા. વડોદરામાં ઉપધાન આદિ અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં. જાની શેરીને ઉપાશ્રય જીર્ણ થઈ ગયેલું હતું તેને ઉદ્ધાર કરવા માટે સચેટ ઉપદેશ આપી ટીપ શરૂ કરાવી. આ ચોમાસામાં એક ખાસ ઘટના એ બની કે અત્રે બિરાજેલા સ્થાનકવાસી સાધુઓમાંથી એક સાધુ મહારાજે દેઢ માસના ઉપવાસ કર્યા હતા. લગભગ ૪૦ મા ઉપવાસે એની ભાવના આપના દર્શન કરવાની થઈ. તે ભાવના સ્થાનકવાસી આગેવાન શ્રાવકોએ વ્યાખ્યાનમાં આવી આપશ્રીજીને જણાવી અને એમના ઉપાશ્રયે પધારી દર્શન દેવા વિનંતિ કરી. આપે પણ એઓની વિનંતિને માન આપી એઓના ઉપાશ્રયે (સ્થાનકમાં) પધારી દર્શન આપ્યાં. આ વખતનું દશ્ય ખાસ જોવાલાયક હતું. એમના સાધુ એ આપને સુંદર સત્કાર કર્યો. એકત્રિત થયેલા ભાઈએને આપે સમયેચિત ઉપદેશ આપે. સાનંદ ચોમાસું સમાસ કરી ખંભાતના શ્રી સંઘની વિનંતિને માન આપી આપ ખંભાત પધાર્યા. ખંભાત એટલે જૈનપુરી. અત્રેના જૈનોએ આપનું ભાવભર્યું સ્વાગત કર્યું. નગરપ્રવેશ મહેત્સવની શેભા અપૂર્વ હતી. શું વૃદ્ધો અને શું નવયુવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004646
Book TitleVijay Vallabhsurijinu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorParshvanath Jain Vidyalaya Varkana
PublisherParshwanath Jain Vidyalaya Varkana
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy