SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ઓછી જ છે. ગ્રંથગૌરવના કારણે થોડામાં જ સતેષ કર્યો છે. આ પ્રસંગે સેવાભાવી ડોકટર શ્રાફ, ડે. નાનચંદ મેદી, ડે. ટી. એ. શાહને માનપત્ર આપવામાં આવ્યા હતા. માયાગામના શ્રી સંઘની વિનંતિથી મીયાગામ પધાર્યા અત્રે કેટલાક દિવસની સ્થિરતા થઈ, વૈશાખ સુદ ૬ ના દિવસે શુભ મૂહુર્તમાં આપશ્રીજીએ પિતાના વિદ્વાન શિષ્ય રત્ન પંન્યાસજીશ્રી લલિતવિજયજી મહારાજ અને પંન્યાસજીશ્રી કસ્તુરવિજયજી મહારાજને આચાર્યપદથી વિભૂષિત કર્યા. શ્રીસંઘે મહત્સવ કર્યો. શ્રીફળની પ્રભાવના તથા સાધર્મિક વાત્સલ્ય કર્યા. પંન્યાસજીશ્રી ઉમંગવિજયજી મહારાજ વલાદ (અમદાવાદ) અને પંન્યાસજીશ્રી વિદ્યાવિજયજી મહારાજ ગુજરાંવાલા (પંજાબ) હોવાથી તેઓને તાર દ્વારા આચાર્ય પદવી માટે આજ્ઞા ફરમાવી. મીયાગામથી વિહાર કરી સુરવાડા, માનપુરા આદિ થઈ દરાપુરા પધાર્યા. અત્રે શ્રી સંઘની વિનંતીથી અને અમદાવાદના નગરશેઠ વિમલભાઈ મયાભાઈની સંમતિથી શ્રીમાન ગણિ મુકિતવિજય (મૂલચંદ)જી મહારાજના સમુદાયના સ્વગય આચાર્ય શ્રીમદુવિજયકમલસૂરિજી મહારાજના પ્રશિષ્ય પંન્યાસજી મહારાજ શ્રી લાભવિજયજી મહારાજને આચાર્ય પદવી અને એના. શિષ્ય પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજને ઉપાધ્યાય પદવીથી અલંકૃત કર્યો. આ પ્રસંગે અમદાવાદથી આવેલા શેઠીયાઓએ આચાર્ય શ્રીમદ્ વિજયલલિતસૂરિજી મહારાજ તથા શ્રીમાન્ વિજયલાભસૂરિજી મહારાજ આદિને અમદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004646
Book TitleVijay Vallabhsurijinu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorParshvanath Jain Vidyalaya Varkana
PublisherParshwanath Jain Vidyalaya Varkana
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy