SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દિન વીસ માઈલનો ઉગ્ર વિહાર કરતા પગમાં છાલાં પડી ગયાં, લોહી નીકળવા લાગ્યું. આહારપાણીની તકલીફો પણ વેઠી. અમૃતસરમાં મુનિરાજ શ્રી સોહનવિજયજીની આંખના ઉપચાર સારુ આઠ દિવસ રોકાઈ જવું પડ્યું. છતાં તેજ ગતિથી પૂજ્યશ્રીજી ધર્મરક્ષા સારુ આગળ વધતા રહ્યા. લાહોર થઈ સાંજેરાવીને કિનારે આવેલી શીખોની ધર્મશાળામાં તેઓ રોકાયા. ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે એ વિવાદાસ્પદ બાબતમાં મધ્યસ્થી લોકોએ નિર્ણય આપી દીધો છે. તેમાગે પૂજ્ય આત્મારામજી મ.સા.એ રચેલા અજ્ઞાનતિમિરભાસ્કર' ગ્રંથને સત્યપૂર્ણ ઘોષિત કર્યો છે.” સમાચાર જાણીપૂજ્યશ્રીજી પ્રસન્ન થયા. પૂજ્યશ્રીજીનો પ્રભાવ કામ કરી ગયો. વળી સત્ય હકીકત સામે જુકો પ્રચાર લાંબો ટકી શકવાનો જ નહોતો. આ સમગ્ર પ્રસંગમાં પૂજ્ય ગુરુદેવની ધર્મરક્ષા માટેની ધર્મદાઝતથા તે માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારીનાં દર્શન થાય છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા અન્ય પ્રાંતોમાં ધર્મપ્રચાર માટે સાધુઓની આવશ્યકતા હતી, પરંતુ પૂજ્યશ્રીજી પોતાના ગુરુદેવના સમયથી નક્કી થયેલા નિયમોનું પાલન કરીને જ નવોદિત મુમુક્ષુઓને દીક્ષા આપતા. કોઈપણ વ્યક્તિને દીક્ષા આપતા પહેલાં તેની ઈચ્છાશક્તિ, એય, યોગ્યતાની તેઓ ચકાસણી કરતા. દીક્ષાવાંચ્છુના પરિવારના સભ્યોની અનુમતિ વિના તેને દીક્ષા આપતા નહીં. દીક્ષા આપતા પહેલાં થોડા દિવસ તે વ્યક્તિને સાથે રાખી કઠોર સાધુજીવન જીવવાની તેનામાં ક્ષમતા છે કે નહીં તેનો કયાસ કાઢયા પછી,સઘળી વાતોનો મેળ ખાતો તે પછી જ તે વ્યકિતને પૂજ્ય ગુરુદેવ દીક્ષા આપતા. આમ કરવાથી ધર્મ વિષયકકોઈ સમસ્યા પેદાન થાય અને ભવિષ્યમાં ધર્મની ગરિમા જળવાઈ રહે, પ્રતિષ્ઠા હાનિ ન થાય એવાતનો ખ્યાલ રહેતો. ધર્મસંવર્ધન માટે આબાબત અનિવાર્ય હતી. પૂજ્ય ગુરુદેવના દીક્ષા સંબંધી આવા માપદંડોના કારણે તેમના સમયમાં ખોટી વ્યક્તિને દીક્ષા અપાતી નહીં અને પરિણામે જૈન ધર્મ વિશે જાહેરમાંકદીપણ કોઈ પ્રકારના વાદવિવાદ સર્જાયા નહોતા. ધર્મની બદનામીન થવી એ પણ ધર્મરક્ષાનો એક ભાગ જ છે. પાલનપુરના ચાતુર્માસ દરમ્યાન કલક્તાથી બાબુ ભંવરસિંહજી દીક્ષાની ભાવનાથી પૂજ્ય ગુરુદેવ પાસે આવ્યા હતા. પૂજ્યશ્રીજીએ દીક્ષાવાંચ્છ ભાઈની માતાને મુર્શિદાબાદતાર કરી તેડાવ્યા. તેમણે ભંવરલાલજીને માતાને સોંપી કહ્યું, ‘તમે તમારા ચિરંજીવીને સમજાવો. અમે તમારી અનુમતિ વિનાદીક્ષા નહીં આપીએ. માતાએ ભંવરલાલજીને ખુબ સમજાવ્યા, પરંતુ ત્યાગ ભાવનાથી રંગાયેલા ભંવરલાલજી અચળ રહ્યા. છેવટે માતાએ અનુમતિ આપી અને પાલનપુરમાં વિ.સં. ૧૯૬૬માં ભંવરલાલજીને ધામધૂમપૂર્વક દીક્ષા આપવામાં આવી. પૂજ્ય ગુરુદેવની પ્રતિભાથી પ્રભાવિત થયેલા વડોદરાના સંસ્કૃતિ પ્રેમી મહારાજા ગાયકવાડે પણ તેમને સાર તેડાવ્યા હતા. તે જમાનામાં વડોદરાના ન્યાયમંરિજેવા સાર્વજનિક સ્થળે માત્ર અત્યંત પ્રભાવશાળી તેજસ્વી મહાન હસ્તીઓના પ્રવચન જ ગોઠવાતાં, સામાન્ય વ્યાખ્યાનકાર એ સ્થળનો ઉપયોગ કરી શકતા નહીં. મહારાજાએ આવા ન્યાયમંદિર ખાતે પૂજ્યશ્રીજીના સાર્વજનિકધર્મ”ના વિષય પરબે જાહેર પ્રવચનો રાખ્યા હતા. એ ઐતિહાસિક પ્રવચનોમાં રાજવી પરિવારના સભ્યો, જેનો ઉપરાંત જૈનેતર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત (પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy