SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વાત જાણતા હતા. આ ગામમાં પૂજ્યશ્રીજી એક મહિનો રોકાયા. સમગ્ર મહિના દરમ્યાન તેમણે સત્યધર્મના સિદ્ધાંતોને અનુલક્ષીને પ્રભાવી પ્રવચનો આપ્યા. ધાર્મિક કાર્યક્રમો સંપન્ન કરાવ્યા. સ્વાભાવિક રીતે જસ્થાનકવાસીઓએ પૂજ્યશ્રીજીને આહારપાગીનો લાભ સુદ્ધાં ન આપ્યો. પરંતુ પૂજ્યશ્રીજી અવિચળ રહ્યા. શ્વેતાંબર પરંપરાનું ધર્મબી જ તેમને અહીં રોપવું હતું અને સઘળા પરિસહ ભોગવી તેમણે એ બેય પરિપૂર્ણ કરી બતાવ્યું. ધર્મપ્રભાવના સારુ પૂજ્ય ગુરુદેવની સઘળી તૈયારીઓ હતી. એટલે આવા પરિસહો તેમના નિર્ધારને ડગાવી શકતા નહીં. - પૂજ્ય ગુરુદેવ મહાન કર્મયોગી હતા. જીવનની પ્રત્યેક પળનો તેમણે ધર્મ સંવર્ધનના કામ માટે ઉપયોગ કર્યો હતો. એકવાર લુધિયાણાના ચાતુર્માસ દરમ્યાન દિવસો સુધી જીર્ણ તાવથી તેઓ પીડાતા રહ્યા, છતાં તેમણે શારીરિક તથા માનસિક સ્વસ્થતા જાળવી રાખીનિક ક્રિયાઓ રાબેતા મુજબ ચાલુ રાખી હતી. સમયસર વ્યાખ્યાન આપવું, ભક્તોની સારસંભાળ લેવી, સમાજને માર્ગદર્શન આપવું તથા સાધુભગવંતોને નિયમિત પાઠ આપવા જેવી સઘળી પ્રવૃત્તિઓ તેમણે સ્વસ્થતાથી પાર પાડી ધર્મ સંવર્ધન પ્રત્યેની ફરજ પોતાની પૂર્ણ નિષ્ઠાથી બજાવી હતી. પંજાબનાસ્થાનકવાસીઓના માટે પૂજ્યશ્રીજી પડકારરૂપ હતા. સમાના તથાનાભા ગામના શાસ્ત્રાર્થમાં તેઓ પરાજિત થયા હતા. લુધિયાણા તથા અમૃતસરમાં પણ તેમની પીછેહટ થઈ હતી. પૂજ્યશ્રીજીની છત્રછાયામાં શ્વેતાંબર પરંપરાના શ્રાવકો ઉત્સાહ ઉમંગથી ધાર્મિક ઉત્સવો મનાવી ધર્મપ્રભાવના કરતા હતા. વર્ષો પછી પૂજ્ય ગુરુદેવ ચાતુર્માસ કરવા ગુજરાત ભણી વિહાર કરી ગયા, એટલે સમસમીને બેસી રહેલા સ્થાનકવાસી પરંપરાના સાધુઓને મોકળું મેદાન મળી ગયું. તેમણે હારનો બદલો લેવાયુક્તિ પ્રયોજી. - પૂજ્ય આત્મારામજી મ.સા.એ લખેલા અજ્ઞાનતિમિર ભાસ્કર” નામના ગ્રંથના એ ભાગનો ઉર્દુમાં અનુવાદકરાવ્યો, જેમાં હિંદુ ધર્મના ગ્રંથોમાં હિંસાની વાતોનો ઉલ્લેખ કરાયો છે. આવા વિવાદાસ્પદપ્રકરાગનું ઉદ્ગમાં પ્રકાશન કરાવી તેમણે પંજાબમાં એ સાહિત્યનો પ્રચાર કર્યો. ગુજરાવાલાના હિંદુઓને તેમણે ઉશ્કેર્યા. હિંદુશાસ્ત્રના પંડિતો શ્વેતાંબરપંથીઓ સાથે શાસ્ત્રાર્થ કરી તેમને પરાજિત કરે તે માટેની સઘળી જવાબદારી તથા ખર્ચ સ્થાનકવાસીઓ ઉપાડવા તૈયાર થઈ ગયા. હિંદપંડિતો તથા શ્વેતાંબરપંથીઓનાશાસ્ત્રાર્થની વાતો ચર્ચાવા લાગી. આચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરિજી તથા અન્ય સાધુ ભગવંતો ત્યારે પંજાબના ગુજરાંવાલામાં હતા, પરંતુ શાસ્ત્રાર્થ કરવાની તેમની ક્ષમતા નહોતી. તેમણે લાલા જગન્નાથજી સાથે આ બાબતની જાણ કરતા બે પત્રો પૂજ્ય ગુરુદેવ પાસે મોકલાવ્યા. તાર પણ કરવામાં આવ્યા. શાસ્ત્રાર્થ કરવા તેમને તાત્કાલિક ગુજરાંવાલા આવી જવા જણાવાયું. પોતાના પૂજ્ય ગુરુદેવ આત્મારામજી મ.સા.ના સત્યકથનોને પડકારવામાં આવ્યા હતા. તેનો જડબાતોડ જવાબ ન અપાય તો સમગ્ર જૈન ધર્મની શાખને આંચ આવે, પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય તેવી નાજુક પરિસ્થિતિ હતી, એટલે પૂજ્ય ગુરુદેવને સમાચાર મળતાં જ જેઠ માસના ધોમધખતા તાપમાં ભયંકર ગરમીમાં પણ ખુલ્લા પગે ચારસો માઈલનો ઉગ્ર વિહાર ગુજરાંવાલા ભણી શરૂ કર્યા. Mિવાઈથી પોતાના શિષ્ય મુનિ શ્રી સોહનવિજયજીને પણ સાથે લીધા. પ્રતિ પર Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy