SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે ઘણા મુસ્લિમ બિરાદરોના દિલ જીતી લીધા હતા. એમના સ્વાગત ટાણે પ્રવેશના વરઘોડામાં મુસ્લિમો પણ ઉલટભેર ભાગ લેતા તથા તેમના વ્યાખ્યાન સાંભળવા નિયમિત જતા. કેટલાય લોકોએ તેમના હૃદયસ્પર્શી ઉપદેશથી પ્રભાવિત થઈ માંસ મદિરાનો ત્યાગ કર્યો હતો. એકભાવિકમુસ્લિમે તો એક વાર બજારમાંથી પસાર થતા વરઘોડાને થોભાવી પૂજ્યશ્રીજીને સપ્રેમ વંદના કરી યથોચિત સ્વાગત કર્યા બાદ તેમના પર રચેલા પ્રશસ્તિ ગીતને પણ ભાવપૂર્વક રજૂ કર્યું હતું. ઘણા મુસ્લિમો તેમનો આદર કરતા તેમને ‘ઓલિયા' તરીકે ઓળખતા હતા. સામાન્યરીતે ચુસ્ત ગણાતા મુસ્લિમો આવું સન્માન ભાગ્યે જ અન્ય મહાપુરુષોને આપતા હોય છે, પરંતુ પૂજ્યશ્રીજીની એ પ્રતિભા હતી કે જેની સમક્ષ અનેક મુસ્લિમો પણસર ઝુકાવતા હતા. આતો પરથી પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. આત્મજ્ઞાની સંત કવિકબીરજી જ્યારે જગતમાંથી પ્રયાણ કરી ગયા, ત્યારે તેમના હિંદુમુસ્લિમ ભક્તો વચ્ચે અંતિમ સંસ્કાર કરવા બાબતે વિવાદ થયો હતો. હિંદુ ભક્તો કહેતા હતા, કબીરજી તો અમારા હતા એટલે એમના દેહનો અગ્નિ સંસ્કાર થવો જોઈએ. મુસ્લિમ ભક્તો કહેતા હતા કે કબીરજી અમારા છે એમના દેહની દફનવિધિ થવી જોઈએ. કબીરજીની અપાર લોકચાહનાહતી તથા એમના અનુયાયીઓ અસંખ્ય હતા, એટલે કદાચ આવો વિવાદ થયો હશે. - પૂજ્ય ગુરુદેવની પણ લોકચાહના અપાર હતી. સૌ કોઈ તેમના સાંનિધ્યને ઝંખતા. તેમની ધર્મવાણીનો લાભ લેવા સૌ કોઈયથાશક્તિ પ્રયાસકરતા. એકવાર અચ્છર, મચ્છર તથા કૃષગકાંતનામના ત્રણ ભાઈઓને દીક્ષા આપવાની હતી. જયપુરના શ્રાવકો હર્ષોલ્લાસથી દીક્ષા મહોત્સવની તૈયારીમાં લાગી ગયા હતા. તે સમયે અજમેરનાદીપચંદશેઠેઆવી પૂજ્યશ્રીજીને દીક્ષા મહોત્સવ અજમેરમાં રાખવા ભાવભરી વિનંતી કરી. તેમણે જણાવ્યું કે દીક્ષાની તિથિના દિવસેજસ્થાનકવાસીઓનું સંમેલન થવાનું છે. એટલે જો એ જ દિવસે ત્યાં દીક્ષા યોજાય, તો અજમેર તથા આસપાસના ક્ષેત્રોમાં ધર્મની પ્રભાવના સારી થશે. વળીશેઠેઆ અવસર નિમિત્તે ચાલીસ હજાર સુધીનો ખર્ચ કરવાની તૈયારી દાખવી પૂજ્ય ગુરુદેવને પણ વિચારગમી ગયો. તેમણે જયપુરના શ્રીસંઘને આ બાબતમાં પૂછ્યું ત્યારે એ લોકોએ સુંદર પ્રત્યુત્તર પાઠવ્યો... ‘પૂજ્ય ગુરુદેવ! જગતમાં એવો કયો દુર્ભાગી જીવ હશે જે પોતાના હાથમાં આવેલા અણમોલ હીરાને છોડવા તૈયાર થાય? ધર્મનો આસોનેરી અવસર અમે શી રીતે ગુમાવીએ?” છેવટે પૂજ્યશ્રીજીએ જયપુર શ્રીસંઘની વાત માન્ય રાખી. ભક્તો પણ પૂજ્ય ગુરુદેવની પધરામણી સારુ તેમના સાંનિધ્ય સારુ પડાપડી, ખેંચતાણ કરતા હતા, જેવાત એમની લોકપ્રિયતાનો નિર્દેશ કરે છે. જેવી રીતે વાદળના આવરણથી ચંદ્રમાં થોડો સમય ઢંકાયા પછી પ્રગટ થઈ જાય છે. વર્ષાઋતુમાં ઘનઘોર વાદળો વરસી જતાં સૂર્ય પુનઃ પ્રકાશિત થઈ ઊઠે છે, ગુલાબની સુવાસ સમીરની લહેર સાથે ચોમેર પ્રસરી જાય છે, તેવી જ રીતે પૂજ્યશ્રીજીની કીર્તિ ધીરે ધીરે ભારતમાં ફેલાવા લાગી હતી. તેમના બોધપૂર્ણવ્યાખ્યાનોની નોંધ પણ વારતહેવારે ગુજરાતના અખબારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy