SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ફરજની યાદદેવરાવી. ‘ભોજન અને કામ તો રોજ મળી રહે, પરંતુ ભક્તિ અને જ્ઞાનની લહાણીનો અવસર કંઈ વારંવાર આવે છે? આવા જ્ઞાની સાધુ ભગવંતના સત્સંગ સામે દુન્યવી વાતોની શી વિસાત ?' આવું વિચારતા કરતારસિંહ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. છેવટે શ્રીકશવિજયજીએ નમતું જોખ્યું તેમણે પૂજ્યશ્રીજીને બોલાવી એક મહિનો વધુરામનગરમાં રોકાઈ જવાની અનુમતિ આપી. જૂઓ તો ખરા સંસારની અવળી ગંગા...!આજકાલ લોકો સામાજિક અન્યાય તથા અન્ય સમસ્યાઓ ખાતર ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના હક્કોના જતન માટે ઉપવાસ પર ઉતરે છે, જ્યારે આ કિસ્સામાં તો એક કક્કડ સંતની અમૃતવાણી પામવા, આત્મોન્નતિ માટે કરતારસિંહ જેવા ભક્ત સપરિવાર ભૂખ હડતાળ પર ઉતરે છે? આનું નામ જ લોકચાહનાનો જાદુ, સત્યપૂર્ણ વાણીનો પ્રભાવ! પૂજ્યશ્રીજીની કીર્તિકૌમુદીથી પ્રભાવિત થયેલા તત્કાલીનનાભાના રાજા હીરાસિંહજીએ તેમને સન્માનભેર રાજ્ય દરબારમાં તેડાવ્યા. પૂજ્ય ગુરુદેવે અહિંસાના સિદ્ધાંતને ખૂબ સરળ રીતે ઉંડાણથી સમજાવ્યો. રાજા તથા દરબારીઓ અત્યંત પ્રભાવિત થયા અને પૂજ્યશ્રીજીની સાધુતાને અહોભાવથી વંદી રહ્યા. આ ઘટના પણ પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતા પ્રદર્શિત કરે છે. નાભાના દરબારમાં જ સ્થાનકવાસી પરંપરાના શ્રી સોહનલાલજીના મોકલેલા શિષ્ય શ્રીયુત ઉદયચંદ્રજી સાથે પૂજ્યશ્રીજીએ શાસ્ત્રાર્થ કરી તેમને પરાજિત કર્યા હતા. આ ઘટનાથી એ વિસ્તારમાં પૂજ્યશ્રીજીનું નામ ગુંજવા લાગ્યું હતું. વિ. સં. ૧૯૬૦માં પૂજ્યશ્રીજી સમાનામાં રોકાયા હતા. સમાના ગામના ચુસ્ત સ્થાનકવાસીઓ પૂજ્યશ્રીજીનો વિરોધ કરતાહતા. પર્યુષણના દિવસોમાં પરમાત્માની શોભાયાત્રા એલોકો શાંતિથી નીકળવા દેવા માગતા નહોતા. આ વાત જાણીસમાનાગામનાજ પૂજ્યશ્રીજીના ભક્ત બની ચૂકેલા સનાતન ધર્મના લોકોએ શોભાયાત્રાકાઢવામાં સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી. શોભાયાત્રાની વિશેષ પરવાનગી મેળવવા રાજા-મહારાજાઓ તથા સરકારમાં વર્ચસ્વ ધરાવતા અમૃતસરના પન્નાલાલજી તથા અન્ય ભક્તો સિમલા ગયા. ત્યાં અંગ્રેજ બારબટન સાહેબ પાસેથી મંજૂરી લઈ આવ્યા. પટિયાલાના પોલીસ વડાને બંદોબસ્ત સોંપાવ્યો અને દબદબાભેર નિર્વિને શોભાયાત્રા નીકળી. આ પ્રસંગમાં પણ પૂજ્યશ્રીજી માટે સનાતન ધર્મના લોકોના હૃદયમાં રહેલી ચાહનાના દર્શન થાય છે. પૂજ્ય ગુરુદેવનું ૧૯મું ચોમાસું વિ. સં. ૧૯૬૧માં જીરા ગામમાં થયું હતું. પૂજ્યશ્રીજીએ અહીં પોતાની મધુરવાણીમાં જ્ઞાન, ભક્તિ અને આત્મકલ્યાણની અમૃતગંગા વહાવી તેનાથી કેટલાય જિજ્ઞાસુ જૈનેતર લોકો ભારે પ્રભાવિત થયા હતા. જીરામાં જ રહેતા ફારસી ભાષાના જાણકાર વિદ્વાન માઘીરામજી ધર્મનિષ્ઠ વિદ્વાન હતા. લોકો તેમને ‘ખલીફાજી' કહેતા. પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા ખલીફાજીએ તો પૂજ્ય ગુરુદેવ પર એક ઉત્કૃષ્ટ ગઝલ લખી નાખી. એ ગઝલમાં તેમણે પૂજ્યશ્રીજીના ગુણોની ભરપેટ પ્રશંસા કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી. પંજાબમાં પૂજ્યશ્રીજીએ તેમના શુદ્ધચારિત્ર તથા વાણી પ્રભાવના (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy