SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ - - - પોતાના ગરીબ સાધભાઈઓના કલ્યાણ માટે એક પણ વ્યક્તિ લક્ષ્મીનો મોહ છોડવા તૈયાર નથી.. આવી વિષમ પરિસ્થિતિમાં આપ લોકો મને પદવીનો નવીન બોજ ઉપાડવા આગ્રહ કરો છો? પરંતુ મને તો આદશામાં આ આચાર્યની પદવી પણ ભારરૂપ લાગે છે! આજેજો જગડુશાહ, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળ, સમરાશાહ, ઐભાદેદરાણી અથવા ભામાશાહ હયાત હોત તો એ લોકો જૈનશાસનની ઉન્નતિ તથા સમગ્ર સમાજની પ્રગતિ માટે શું ન કરત? પદવીથી પણ મને વિશેષ જરૂર છે, તમારા સક્રિય સાથ સહકારની. તમને પ્રાપ્ત થયેલી સંપત્તિનો ઉપયોગ સાધર્મના વિકાસમાં કરો... એમના મુરઝાયેલા ચહેરા ઉપર સુખશાંતિને સંતોષની લહેર ફરી વળે એવું રચનાત્મક કાર્ય કરી બતાવો... સમાજનો પૂર્ણ વિકાસ જો થતો હોય તો આચાર્ય પદવી છોડવા પણ હું તૈયાર છું!” સમાજના ઉત્કર્ષ તથા સેવા માટે પૂજ્ય ગુરુદેવના અંતરમાં આવી ઉત્કૃષ્ટ ભાવનાની જ્યોત અહર્નિશ જલતી રહેતી હતી. રાજસ્થાનના નાણાગામનાઠ સાહેબ પૂજ્યશ્રીજીની કીર્તિકૌમુદી સાંભળી પ્રભાવિત થયા હતા. તેમણે સન્માનભેર પૂજ્ય ગુરુદેવની રાજગઢમાં પધરામણી કરાવી. અહીંયા પૂજ્યશ્રીએ રાજાને રાજધર્મ, પ્રજા ધર્મ તથા શ્રેષ્ઠ રાજવીના લક્ષણો વિષે સુંદર બોધ આપ્યો. માંસ મદિરા, શિકાર, પરસ્ત્રી ગમન જેવા સખ વ્યસનોનીહાનિઓસમજાવી તેમને ત્યાગવાની પ્રેરણા આપી. ઠાકુર સાહેબે ત્યારબાદ પૂજ્ય ગુરુદેવને ગોચરી માટે પધારવા હાર્દિક વિનંતિ કરી. ઠાકુર સાહેબના સમર્પણ ભાવ તથા પ્રેમભાવથી પૂજ્યશ્રીજી ક્ષણાર્ધવિચારમાં ડૂબી ગયા પછી તેમણે હા ભણી. સામાન્ય રીતે તેઓ ગોચરી માટે જતાનહીં. પૂજ્યશ્રીજી અન્ય સાધુભગવંતો સાથે રાજગઢમાં ગોચરીસારુ પધાર્યા. ત્રણે રાણીઓએ ભાવપૂર્વક તેમની ભક્તિ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય ગુરુદેવે અવસર જોઈતસ્રણ ઠાકુર સાહેબ તથા તેમની રાણીઓને મધુરવાણીમાં માંસ મદિરા, ત્યાગવાનો ઉપદેશ આપ્યો. તેમના ઉપદેશના પ્રભાવથી એ ચારે રાજવી વ્યક્તિઓએ તુરંત માંસમદિરા ત્યાગવાની પ્રતિજ્ઞાલીધી. મદિરાપાનથી શારીરિક હાનિ તો થાય જ છે, ઉપરાંત તેનાથીગૃહકલેશ, નૈતિક પતન તથા આર્થિક નુકસાન થાય છે. માંસના ભોજનથી તામસવૃત્તિ વધે છે. જીવોની હિંસા થાય છે. જ્યારે આવા વ્યસનોથી મુક્ત રાજાના સુદ્દઢ પ્રેરણાદાયી ચારિત્રથી તેની પ્રજા પણ સંસ્કારી નીતિવાન ધાર્મિક થઈ શકે છે. આમ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. પૂજ્યશ્રીજી આ વાત જાણતા હતા. સમાજના કલ્યાણના હેતુથી અમીરોને કડવા સત્ય કહેવાના ઘણા પ્રસંગો પૂજ્ય ગુરુદેવના જીવનમાં બન્યા હતા. તેમને મનતો સમાજના સૌ લોકો સમાન હતા. આકરુણાનિધિ સંતને ગરીબ તથા મધ્યમ વર્ગના શ્રાવકો માટે હૃદયમાં અનહદઅનુકંપા હતી. પૂજ્યશ્રીજી સ્વયં કર્મકર્મયોગી હતા એટલે નક્કર કાર્યો માટે તેમના અંતરમાં આદર હતો, જ્યારે ઠાલી વાતો તેમને ગમતી નહીં. ઈ.સ. ૧૯૫૧માં પૂજ્ય ગુરુદેવ પાલિતાણાની યાત્રાએ નીકળ્યા હતા. વિહાર કરતા - ૯૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy