SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ થાઓ!મનની ગ્રંથિઓ છોડી. ગુણગ્રાહી બની. આપણા અલગ પડી ગયેલા, સાધÍગરીબ ને નિરાધાર ભાઈઓના આંસુ લુંછી તેમને હદયસરસા ચાંપો. દાણા દાણાના મોહતાજ, રોજીરોટી માટે તરસતા, ભટકતા, અટવાતા ભાઈઓની મદદ કરો! એમનાં દુઃખ દર્દપીડાને યાતના મીટાવી નિજના પુણ્યના ભંડારી છલકાવી દો. પૂજ્ય આત્મારામજી મ.સા. તથા પૂજ્ય વિજયવલ્લભ સૂરિજી મ.સા. આવી સમાજ૫યોગી વૃત્તિને જ સાચું સાધર્મીવાત્સલ્ય કહે છે. - સાધર્મી ભાઈઓની સેવા કરવાનું પુણ્ય અનુપમ છે. આપણે તેનો સાચો અર્થ વીસરી ગયા છીએ. સાચું સાધર્મીવાત્સલ્ય ક્યાં છે? એક જ દિવસમાં હજારોને ભોજન કરાવવામાં સાધર્મવાત્સલ્યનાં દર્શન થાય છે કે દુઃખી જરૂરતમંદોને રોજી-રોટી કમાવાના સાધનો ઉપલબ્ધ કરાવી તેમને આપણી સમકક્ષ બનાવવામાં એ દ્રષ્ટિગોચર થાય છે? એકાદવાર એવોકાર્યક્રમ થઈ જાય, એનો અમે નિષેધનથી કરતા, પરંતુ દુઃખી લોકોને કાયમી ધોરણે આરામથીદાળ-રોટી મળતી રહે, એવો પ્રબંધકરો. એમના બાળકોના વ્યવસ્થિત શિક્ષણની વ્યવસ્થા ગોઠવી, કારણ કે ધર્મ તથા સમાજની ઉન્નતિ બાળકોના વિકાસ પર નિર્ભર છે.” પંન્યાસશ્રીસમુદ્રવિજયજી મહારાજની વાતનું પૂજ્યશ્રીએ સમર્થન કરીગોરવાડના એવા આર્થિક રીતે જરૂરતમંદસાધમ લોકો માટે એક લાખનો ફાળો એકઠો કરવા લોકોને હાકલ કરી. મોતિયાના ઓપરેશન તથા શારીરિક અસ્વસ્થતાના કારણે પૂજ્ય ગુરુદેવ સાદડી મુકામે રોકાયેલા હતા. એટલે તા. ૨૩-૪-૧૯૪૯ના રોજ મુંબઈમાં યોજાયેલી ‘વિશ્વ ધર્મપરિષદમાં તેઓ સદેહે ભાગ લઈ શક્યા નહોતા. સાદડીથી તેમણે આ પરિષદમાં પોતાનો સંદેશો મોકલાવ્યો હતો. પોતાના સંદેશામાં તેમણે વિજ્ઞાનના દુરુપયોગ સામે લાલબત્તી ધરી હતી. વિશ્વ માનવ સમુદાયને બચાવવા અહિંસાના સિદ્ધાંતના પ્રચારની હિમાયત કરી હતી તથા વિશ્વ ધર્મની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પોતાના સંદેશાના અંત ભાગમાં તેમણે જણાવ્યું હતું... “વિજ્ઞાનનો ઉપયોગ જ્યારે પ્રત્યેક પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટે જ થશે, વેરભાવ, શોષણવૃત્તિ, અમલદારશાહી અને સામ્રાજ્યવાદની ભાવના પ્રત્યેક પ્રજા અને રાષ્ટ્રમાંથી નેસ્તનાબૂદથશે, ત્યારે જ વિશ્વશાંતિનો સંદેશ જગતના ખૂણે ખૂણે ગુંજી ઉઠશે. આ મહાન કાર્ય આપણે કરવાનું છે. એ સારુ આપણે કટિબદ્ધ થવાનું છે.' ફાલનામાં યોજાયેલી જૈન શ્વેતાંબર કોન્ફરન્સમાં ભક્તોએ પૂજ્ય ગુરુદેવને શાસનદીપક, સુરિસમ્રાટ, શાસન પ્રભાવકતાયુગ પ્રભાવક જેવી વિશિષ્ટ પદવીથી અલંકૃત કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતમાં પોતાનો નિશ્ચય જાહેર કરતા પૂજ્ય ગુરુદેવે સભામાં જણાવ્યું હતું.. “આપ લોકોના પ્રેમભર્યા શબ્દો સાંભળતા સાંભળતા મારું મન રોમાંચિત થઈ ગયું છે. પરંતુ સજ્જો! હું તમને શું કહું? મેં અંતઃકરણમાં ડોકિયું કર્યું તો પ્રશ્રો ઉત્પન્ન થયા-કુંકેવી સાધુ છું? મેં કેવી સાધના કરી છે? મારીસમાજ આજે ક્યાં ઊભો છે ? મારા મધ્યમ વર્ગના ભાઈબહેનોની શું દુર્દશાછે? સમાજમાં આજે પણ અસંખ્ય લક્ષ્મીવાન છે, પરંતુ મને કહેવા દોકે (૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy