SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન કર્યા... બીજું કામ એ થયું કે આવી વેરાન ધરતી પર જૈન શિક્ષણનું સંસ્થારૂપી વૃક્ષ પાંગર્યું છે, જે દિન-પ્રતિદિન સફળતાના સોપાન સર કરી રહ્યું છે. ત્રીજું કામ એ થયું કે અહીંના શ્રાવકોમાં કેટકેટલા અને કેવા કેવા ભ્રમ, કુરિવાજો અને અજ્ઞાન વ્યાપેલાં છે,એનો તમને અંદાજ આવ્યો. સાધુ ભગવંતો દ્વારા અસ્પૃશ્ય એવા આ વિસ્તારમાં ધાર્મિક કાર્યો અલ્પ સંખ્યામાં જ થાય છે. તેથી અમારી અહીં જરૂર છે. રાજસ્થાનમાં શિક્ષણ પ્રચાર વ્યવસ્થિત થાય તો લોકોના અંધવિશ્વાસ, વહેમ, કુરિવાજોની બદીઓ તો સમયાંતરે દૂર થવાની જ હતી. એ દ્રષ્ટિએ પૂજ્યશ્રીજીની સમાજસુધારણા માટેની દીર્ઘદ્રષ્ટિ તથા યોજના પ્રશંસનીય હતી. પૂજ્યશ્રીજીનાસમાજસુધારણાનાં કાર્યોનેસાંસારિક કામોમાં ખપાવી અન્ય ફિરકાના લોકો વિરોધ કરતા હતા. સંવત ૧૯૮૬ના મુંબઇના ચાતુર્માસ દરમ્યાન આવા ઇર્ષાળુ લોકોએ પૂજ્ય ગુરુદેવના વિરોધમાં પત્રિકાઓ છપાવી અપપ્રચાર શરૂ કર્યો. એવા સંજોગોમાં પૂજ્યશ્રીજીએ સહિષ્ણુતા દાખવી એ પત્રિકા સામે મૌન ધારણ કરી લીધું. તેમણે એકૃત્ય વિષે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું.... ‘મારા વિરોધમાં પત્રિકાઓ છપાવવાથી હું વિચલિત થયો નથી. હું શાંતિપ્રિય છું. . સમાજમાં શાંતિ અને સંપની ભાવના કેળવાય એમ હું ઈચ્છું છું... આપણા ધર્મના મહાન સ્થાપક તીર્થંકર ભગવંતો તથા પૂર્વાચાર્યોએ કેટકેટલા પરિસહોનોસામનોર્યો હતો ? સહિષ્ણુતા જ આપણું શસ્ત્ર હોવું જોઇએ.’ ઘટના એવી બની કે એ વિરોધીઓના અપપ્રચારની પત્રિકાના પ્રત્યાઘાત રૂપે પૂજ્યશ્રીજીનાકોઈ ભક્તે પ્રત્યુત્તરમાં પત્રિકાઓ છપાવી દીધી હતી. પૂજ્યશ્રીજીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે નારાજ થતા કહ્યું હતું... ‘ખરેખર આવી પત્રિકાના કૃત્યથી મને ખુશી નથી થઈ. વાસ્તવમાં આનાથી હું દુઃખી થયો છું. આપણે શાંતિ જાળવીશું તો વિરોધીઓને પણ હારી થાકીને અપપ્રચાર બંધ કરવો પડશે... આવી પત્રિકાઓ છપાવવાથી સમાજના હજારો રૂપિયાનું પાણી થઈ જાય છે. કલહ કંકાસ કુસંપમાં વૃદ્ધિ થાય છે.. આપણે સહિષ્ણુતા કેળવી સમાજને સંપ અને એકતાની શૃંખલામાં જોડવાનો છે..!' પોતાની સમાજસુધારણાની પ્રવૃત્તિમાં મક્કમ રહી પૂજ્યશ્રીજીએ સમાજનાસંપ, એકતા સારુ સહિષ્ણુતાનો ભાવ કેળવી, વિરોધીઓને પણ શાંત કરી દીધા હતા. વ્યક્તિગત અહંકાર, સ્વાર્થ તથા મૂર્ખતાના કારણે મોટાભાગના પરિવારોમાં કલહ, કંકાસ, કુસંપ પેદા થાય છે અને પરિણામે પરિવારો છિન્ન-ભિન્ન ધઈ વિનાશ નોતરે છે. પરિવાર સમાજનો નાનો ઘટક છે. પરિણામે લાંબા ગાળે કલુષિત પરિવારો સમાજને નિર્બળ કરી મૂકે છે. સમાજથી રાષ્ટ્ર, ધર્મ સઘળું વિનાશ પામે છે. પૂજ્ય ગુરુદેવ સમાજ સુધારણાની પ્રવૃત્તિ દ્વારા મજબૂત સંપીલા જૈન સમાજનું નિર્માણ કરી રહ્યા હતા. એકવાર બુરહાનપુરમાં એક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા સુખી સંપન્ન પરિવારમાં માતા પુત્રના કલહની વાત તેમના કાને આવી. આ લોકોએ એક બીજા પર કેસ કર્યા ૮૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy