SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. લોકડુંગળી, લસણ જેવા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા થઈ ગયા હતા. ધાર્મિક નીતિ નિયમો વીસરી ચૂક્યા હતા. આચાર-વિચારમાં શિથિલતા આવી ગઈ હતી, પૂજ્ય ગુરૂદેવ લોકોને પ્રેમથી સમજાવ્યા. હૃદયસ્પર્શી ઉપદેશ આપી ધર્મનો રસ્તો બતાવ્યો. પૂજ્યશ્રીની વાતનો સારો પ્રભાવ પડ્યો. લગભગ ૮૦ ટકા લોકોએ ધર્મની આશાતના થાય એવી પ્રવૃત્તિઓ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી. બિકાનેરમાં ચાતુર્માસ પૂર્ણ કરી પંજાબ જતાપૂજ્ય ગુરુદેવ ભટીંડામુકામે રોકાયા હતા. ભટીંડામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં તેમણે બે જબરજસ્ત હૃદયસોંસરવા ઉતરી જાય તેવા સુંદર સાર્વજનિક વ્યાખ્યાન આપ્યા. એ વ્યાખ્યાનોમાં હિંદઓ, શીખો તથા મુસ્લિમો પણ જ્ઞાનપિપાસાવશ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્યશ્રીજીના વ્યાખ્યાનથી જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ. તેમના દિલોદિમાગમાં અહિંસા, પ્રેમ અને કરુણાના ભાવ હિલોળા લેવા લાગ્યા. વિવિધ વ્યસનોની ચુંગાલમાં ફસાયેલાએ જીવોના પુણ્યકર્મનો ઉદય થયો. પરિણામે કેટલાય લોકોએ તે જ ઘડીએ માંસ મદિરાને તિલાંજલિ આપી દીધી. પરસ્ત્રી ગમન નહીં કરવાની પણ પ્રતિજ્ઞા લીધી. આજે મુંબઇ, દિલ્હી, કલકત્તા, સુરત જેવા અનેક મહાનગરો તથા ઘણા વિસ્તારોમાં લોકો દારૂ, જુગાર, હેરોઈન, અફીણ, ધુમ્રપાનના વ્યસનોના શિકાર થઈશારીરિક, માનસિક તથા આર્થિક રીતે પાયમાલ થઈ સમાજને ખોખલો બનાવી રહ્યા છે. કમજોર સમાજ રાષ્ટ્ર, ધર્મ તથા સ્વયંના પરિવારનું કલ્યાણ કદાપિ કરી શકે નહીં. આજે આપણા સમાજને પૂજ્યશ્રીજી જેવા પ્રભાવી સૂત્રધારની આવશ્યકતા છે જે સમાજને સાચી દિશા ચીંધી શકે. લાંબા સમય પછી લુધિયાણા પધારેલા પૂજ્ય ગુરુદેવનાવ્યાખ્યાનનો લાભ લેવા એટલી જનમેદની ઉમટી કે વ્યાખ્યાનખંડની દીવાલો તોડી નાખવી પડી. અહિંસાના વિષય પર તેમણે સુંરહદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનમાં આવેલા એક મુસ્લિમ બિરાદરનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે પોતાના પરિવારના સાત સભ્યો સાથે માંસાહાર ત્યજી દીધો. એક બ્રાહ્મણ યુવકે આજીવન શરાબને હાથ નહીં લગાડવાની પ્રતિજ્ઞા લીધી. લુધિયાણામાં પૂજ્યશ્રીજીની ઉપસ્થિતિમાં જ્યારે તેમના ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મ.સા.ની જન્મ જયંતિ ઉજવાઈ તે પ્રસંગે ઉપસ્થિત રહેલા બે હજારથી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ જાણે ગુરુદક્ષિણા આપતાં હોય એવા ભાવથી પ્રેરાઈ જીવનમાં ક્યારેય પણ ચરબીયુક્ત અપવિત્ર વસ્ત્રો તથા રેશમી કાપડનો ઉપયોગ નહીં કરી અહિંસાપાલનની પ્રતિજ્ઞા લીધી. ધર્મપ્રચારની સાથે સાથે શિક્ષાગપ્રચાર તથા સમાજ સુધારણાના કાર્યો કરતીવેળાએ પૂજ્ય ગુરુદેવે કદી પણ અંગત સુખ-સગવડોની પરવા કરી નહોતી. ગુજરાત કરતા રાજસ્થાનના ગોરવાડના શ્રાવકોને રૂઢિવાદીતાથી મુક્ત કરવા, તેમને કુરિવાજોની ચુંગાલમાંથી છોડાવવા તથા તેમને સુરક્ષિત કરી ધાર્મિક માર્ગે વાળવા પૂજ્ય ગુરુદેવનાનાં નાનાં ગામડામાં પણ વિહાર કરતા તથા ચાતુર્માસ પાણકરતા. બિજોવા ગામના ચાતુર્માસ દરમ્યાન ગુજરાતથી આવેલા એક શ્રાવકને પોતાનું ચોમાસું એ ગામ માટે કેટલું ઉપકારક હતું એ વાત સમજાવતા પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું... - “અહીં પણ ઉપકારક કાર્યો થયાં છે. પ્રથમ તો તમે સ્વયં અહીં આવી આ ઉડભૂમિનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy