SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બધામૃત દશા-અંતરંગભાવ સિદ્ધ જેવા રાખવા. (૧૬) પરમાત્માની ભક્તિ-સહજ સ્વભાવ કરી મૂકવા જેવી છે. ગમે તે કામ કરતાં મન ભક્તિમાં રાખે. મોક્ષનાં સુખ, અસંગદશા, વીતરાગભાવ એના જ વિચાર આવે. કેવળજ્ઞાન કેવું હશે? એમ પરમાત્માના ગુણે ચિંતવવા. (૧૭) પરનિંદા એ બહુ જ હલકે સ્વભાવ છે. મારા વખત બગાડું છું એ સમજણ નથી. એથી પિતામાં અવગુણ પેસે અને પાપ બંધાય. (૧૮) કૃપાળુદેવે કઈને કહ્યું કે, “કાકા, જોજે છેતરાતા !” દુજનતાથી ફાવવું નથી. (૧૯) સજનબેલેલું પાળે, કેઈનું બગાડે નહીં. સારાં કામ કરે. સજજનસંગ-સત્સંગ. સારા પુરુષોનો સંગ કરે અને આત્મજ્ઞાન કરી લેવું. [વ. ૧૨]. ૭ શ્રીરા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૩, ૨૦૦૮ સજજનતા એ મેટો ગુણ છે. સજજનને સાચી પ્રીત હોય છે, ઠગવા માટે પ્રીતિ કરે તે સજજન નહીં. સજજનતા આવી તે પુરુષ થયો. સજજનતા એ મોક્ષને રાજ. માગ છે. સજજનતા આવે તો ધર્મપ્રાપ્તિ થાય. સજજન સજજન જ રહે છે. બીજા બદલાય પણ એ ન બદલાય. સજ્જનતા દિવ્યતા પ્રગટાવે છે. સજ્જનતાથી ધર્મની શરૂ આત થાય છે. સજનતા એ સત્પરુષતા છે. સજજનતાનું બહુ માહાસ્ય છે. સજજનતા બહુ સરસ છે. વિદ્યા તે વધારી વધી શકે, પણ સજજનતા તે જન્મથી હોય તેને જ હોય. અસત્ પુરુષ હતો તે મટી પુરુષ થયો, એમ સજનતા આવી એથી આગળ શું વધે? એ અપેક્ષાએ સજજનતા વધતી નથી એમ કહે છે. “ઊંચનીચ ઘર અવતરે, આખર સંતકો સંત” તેમ સજજનતા પૂર્વને સંસ્કારથી આવે છે. પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થાય છે. સંસાર એ ઝેરનું ઝાડ છે. ક્ષણ વાર પણ સજજનની સંગતિ હોય તે મૂરખની સાથે ઘણે કાળ રહેવા કરતાં વધારે લાભ કરે. મેક્ષ પણ આવે. [વ. ૩૭] જેસલમેર, મહા વદ ૧૧, ૨૦૦૮ પાર્શ્વનાથને કમઠ ઉપસર્ગ કર્યા અને ઈ સ્તુતિ કરી તે બન્નેમાં ભગવાને સમતા રાખી. કૃપાળુદેવે કહ્યું છે કે નિંદા કરે એના પર અમને દ્વેષ નથી. જગત સારું બેટું કહે તેથી કંઈ કલ્યાણ ન થાય. લેકનો ભય જીવને લાગે છે. આત્માથી જીવે તે જગત ગમે તેમ કહે, પણ જે સારું હોય તે કરી લેવું આત્માની સિદ્ધિ માટે બધી ક્રિયાઓ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. જેને સત્સંગ છે, તેને યોગાભ્યાસની કંઈ જરૂર નથી. બધી ક્રિયાઓમાં ગુરુની મુખ્યતા છે, ગુરુની આજ્ઞાથી પડી જાય તે ખલાસ. સત્સંગમાં જે રંગ લાગે તે ન છૂટે. ચક્રવતી જેવા પિતાના રાજ્યને તુચ્છ જાણ છોડે છે અને આત્મામાં લાગે છે, આત્માનું હિત કરવાનું છે. સદ્દગુરુને પ્રસંગ કરવાનું છે. જ્ઞાનીની આજ્ઞાએ કરવું છે. આત્માનું હિત કરવા ઊઠે તે જગત ગમે તેમ કહે તેના સામું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy