SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દસ ] આવવાઈય તુલના-HIL (Vol. II, p. 452 )માં સૂચવાયું છે કે આ અંગમાંની કથાઓ બૌદ્ધોની અવદાન–શતક અને કર્મશતકમાં અપાયેલી કથાઓની રીત પ્રમાણેની છે. પાત્રોનાં નામ–શ્રીમહાવીર–કથા(પૃ. ૪૨૪–૫)માં આ અંગમાંનાં પાત્રોનાં નામ અપાયો છે. એમાં નગર અને દેશનાં નામ પણ છે. વિવરણ–વિવાગસુય પર અભયદેવસૂરિએ વૃત્તિ રચી છે. એ મૂળ સહિત આ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થઈ છે. મૂળ અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ, શબ્દકોશ, અને વર્ણકાદિ વિસ્તાર સહિત ડૉ. પી. એમ. વૈદ્ય ઇ. સ. ૧૯૩૩માં છપાવ્યું છે. અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ, ટિપ્પણ, શબ્દકોશ અને ઉપર્યુક્ત સંસ્કૃત વૃત્તિ સહિત આનું સમ્પાદન કાર્ય વી. જે. ચોકસીએ અને એમ. સી. મેદીએ કર્યું છે અને એ ગૂજર ગ્રંથરત્નકાર્યાલય તરફથી ઈ. સ. ૧૯૩૫માં છપાયેલ છે. એ. ટી ઉપાધ્યેએ મૂળ અંગ અંગ્રેજી અનુવાદ, ટિપ્પણુ અને પ્રસ્તાવના સહિત તૈયાર કરી ઈ. સ. ૧૯૩૫માં છપાવ્યું છે. પ્રકરણ ૧૦ ? વવાય ને રાયપસેણિય ઉવંગની વ્યવસ્થા–દિદ્ધિવાય નામના બારમા અંગને ઉચ્છેદ ગયેલ હોવાથી અને ઉવંગ અંગે સાથે સમ્બદ્ધ હેવાથી હવે એને વિચાર કરાય છે. તત્ત્વાર્થાધિ (અ. ૧, સે. ૨૦ )ના ભાષ્યની ટીકા(પૃ. ૯૩)માં સિદ્ધસેનગણિ કહે છે કે ગણિપિટકરૂપ ગ્રન્થમાં છૂટીછવાઈ બાબતને ગુંચવાયેલી સ્થિતિમાં જોઈને ગણધરોએ અને એમના શિષ્ય વગેરેએ આ આવડા ગ્રન્થમાં કેમ માશે એમ વિચારી આ અંગે આચાર છે, આ એનું ઉપાંગ છે એવી વ્યવસ્થા કરી. પણવણ એ વીરસંવત ૩૭૬માં સ્વર્ગ સંચરેલા આર્ય શ્યામની કૃતિ ગણાય છે. બાકી બધાં ઉવંગ માટેના કર્તાનાં નામ જાણવામાં નથી. ૧ સમુદાયના નાયક. ૨ આ સમ્બન્ધમાં હરિભદ્રસૂરિ તાર્યાધિની ટીકા (પત્ર ૭૬)માં કહે છે કે જ્યાં આચારાદિરૂપ અર્થ સમાપ્ત થાય છે તે આચારાદિ છે, અને જ્યાં વિચિત્ર અન્ય અર્થ છે તે રાજપ્રસેનકીચાદિ ઉપાંગ છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy