SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫] શ્રીસુધસ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાર પડે નથી. આથી એમ માનવાનું કારણ મળે છે કે સૌથી પ્રથમ પરિકમ્મને સંપૂર્ણ કે આંશિક અભ્યાસ કરતો હશે. (૨) આધુનિક અભ્યાસશૈલીથી પરિચિત જનને એ વાત તે સુવિદિત છે કે “સંકલના પરિકમને વિધિને અભ્યાસ કરાતાં એને લગતા દાખલા કરાય છે, પરંતુ તેમ કરવા માટે કંઇ બુકલિતાદિ પરિકર્મો થાય ત્યાં સુધી રાહ જોવાની હોતી નથી. વળી અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાનું જ્ઞાન, તે તે ભાષાનું વ્યાકરણ શીખ્યા પહેલાં પણ કરાવાય છે. આ ઉપરથી કદાચ કોઈ એમ માને કે પરિકમ્મને પૂર્ણ અભ્યાસ કર્યા વિના અન્ય વિભાગને અંશતઃ અભ્યાસ કરાવતો હશે, પરંતુ વસ્તુસ્થિતિ તેમ હોય એમ જણાતું નથી, કેમકે આજે પણ વ્યાકરણને સંપૂર્ણ અભ્યાસ કરાય ત્યાર પછી જ સાહિત્યમાં પ્રવેશ કરાય એવી માન્યતા ધરાવનારા અને તે રીતે અભ્યાસ કરનારા અને કરાવનારા કેટલાક સજજને જોવાય છે, અને એ અભ્યાસની પ્રાચીન પ્રથાનું પ્રતીક હોય એમ લાગે છે. આથી બારમાં અંગના પાંચ વિભાગોના હાસના પ્રસ્તુત પ્રશ્નના નિર્ણય માટે તો આપણે એમ માની લઇશું કે પરિકમ્મને પૂર્ણ અભ્યાસ થાય ત્યાર પછી જ અન્ય વિભાગને અસલ અભ્યાસ કરાતો હશે. (૩) ઉપર પ્રમાણેની વિચારસરણીને અનુસરી, હાલ તુરત તે એમ જ માનીશું કે સત્તને પૂર્ણ અભ્યાસ થયા બાદ જ બાકીના વિભાગને અભ્યાસ કરાતો હશે. (૪) ચોથો પ્રશ્ન એની પહેલાના પ્રશ્ન ઉપરથી ફલિત થયેલે પ્રશ્ન છે એટલે એનો ઉત્તર એ જ ઉત્તરમાં આવી જાય છે. એ ઉત્તર બીજે કઈ નહિ પણ એ છે કે પરિકમ્મ અને સુરના સંપૂર્ણ અભ્યાસ બાદ બાકીના વિભાગોને અભ્યાસ કરતો હશે. (૫) અણુઓગદ્દાર (સૂ. ૨-૫)માં તેમ જ બહાનંદીમાં સૂચવાયા મુજબ દરેક સુત્રન-આગમના ઉદ્દેશ, ‘સમુશ, “અનુજ્ઞા અને અનુગ પ્રવર્તે છે. વળી અણુઓગદ્દાર १ "मुयनाणस्स उद्देसो समुदसो अणुण्णा अणुभोगो य पवत्तइ...अंगपविहस्स वि उदयो વાવ વવ૬.” ૨ નંદીસરની શ્રી મલયગિરિસૂરિકૃત ટીકા સહિત છપાયેલી અને આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત આવૃત્તિના અંતમાં આ આપેલ છે -૬ આ અધ્યયન વગેરે તારે ભણવું એમ જે ગુરુ શિષ્યને કહે તે ઉદેશ” કહેવાય છે. તે પ્રમાણે શિષ્ય કરે અને ગુરુને જણાવે ત્યાર બાદ ગુરુ તેને એ પાઠ સ્થિર કર–પરિચિત કર એમ કહે તે “સમુદેશ” કહેવાય છે. શિષ્ય તેમ કર અને ગુરુને જણાવે ત્યારે તુ એ બરાબર ધારી રાખજે અને અન્યને ભણાવજે એમ જે ગુરુ તેને કહે તે “અનુજ્ઞા” કહેવાય છે. શ્રીહરિભદ્રસૂરિકૃત દસમુસુવિ યાને અમ્યવસતતિના શ્રી સંઘતિલકસૂરિકત વિવરણ (પત્ર ૧૧૩ આ)માંની નીચે મુજબની પંક્તિ અત્ર ઉદ્દત કરવી ઉચિત જણાય છે. 'तेनापि विनयविनीतेन गुर्वन्तिकेऽधीतानि दशापि पूर्वाणि, तदध्ययने चैषा युतिःपूर्वाणां यत्रोदेशस्तत्रैवानुज्ञा विधीयते, यतः" " जत्थु सोऽणुना वि तत्व कज्जद कमो इमो अस्थि । “વિદિવાખાનામાં તો પુઝા ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy