SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જુ પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના આપણે બીજા પ્રકરણમાં દ્વાદશાંગીના ઉદ્ભવ વિષે સામાન્યતઃ વિચાર કરી ગયા અને સાથે સાથે શ્રીઇન્દ્રભૂતિને હાથે રચાયેલી દ્વાદશાંગીની રચના વિષે પણ થોડેક ઊહાપોહ કરી ગયા એટલે હવે અહીં એ સંબંધમાં તેમ જ અન્ય ગણધરની દ્વાદશાંગીના સંબંધમાં પણ વિસ્તારથી આપણે વિચાર કરીશું. ૨ચના સ્થલ ઇત્યાદિ-શ્રી મહાવીર સ્વામીનું પ્રથમ સમવસરણ જ્યાં તેમને કેવલજ્ઞાન થયું હતું ત્યાં જ એટલે કે પાલિકા નદીના ઉત્તર તટ ઉપર રચાયું હતું. ત્યાર બાદ બીજું સમવસરણ અપાપાપુરીમાં આવેલા “મહાસેન' વનમાં રચાયું. ત્યાં એ પ્રભુએ દેશના આપવા માંડી. એવામાં શ્રીઇન્દ્રભૂતિ ત્યાં આવ્યા અને તેમણે પિતાની શંકાનું સમાધાન થતાં પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી શ્રી અગ્નિભૂતિ વગેરે દશ બ્રાહ્મણો આવ્યા અને તેમણે પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. આ પ્રમાણે એ અગ્યારે દીક્ષિત થતાં તેમને ગણધર પદ આપવામાં આવ્યું અને તેઓ ગણધર બન્યા. ચતુર્વિધ સંઘની સ્થાપના થયા બાદ-તીર્થ સ્થપાયા પછી શ્રીમહાવીરસ્વામીએ પિતાના એ અગ્યારે ગણધરને સાવ સિદ્ધાન્તની ચાવી બતાવી એટલે એ પ્રત્યેક ગણુધરે મુર્તમાં દ્વાદશાંગી રચી. આ પ્રમાણે જે એકંદર ૧૧ દ્વાદશાંગીએ રચાઈ તેમાં પહેલા સાત ગણધરોની સૂત્રવાચના એક બીજાથી ભિન્ન બની, જ્યારે શ્રીઅકંપિત અને શ્રીમચલબ્રાતાની તેમ જ શ્રીમેતાર્યની અને શ્રીપ્રભાસની પણ સૂત્રવાચના સમાન બની. કહેવાનું તાત્પર્ય એ છે કે અર્થદષ્ટિએ તે ૧ આનું ધૂળ સ્વરૂપ મેં ન્યાયકુસુમાંજલિ (રૂ. ૧, ૫)ના સ્પષ્ટીકરણ (પૃ. ૨૨-૧૯)માં રજુ કર્યું છે. આ ૨ આના સમર્થનરૂપે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૫. ૧૦, સ. ૫)નું નિમ્નલિખિત પદ્ય હું રજુ કરું છું "जाते सङ्घ चतुर्धेवं ध्रौव्योत्पादव्ययात्मिकाम् । इन्द्रभूतिप्रभृतीनां त्रिपदी व्याहरतु प्रभुः ॥१६५॥" ૩ આથી તો “આઈગર તરીકે એમને વિઆહપશુત્તિ (શ. ૧, ૩, ૫, સૂ. ૫)માં ઓળખાવ્યા છે. એની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ કહ્યું પણ છે કે "आइगरे त्ति आदौ-प्रथमतः श्रुतधर्ममाचारादिप्रन्थात्मकं करोति-तदर्थप्रेणायक त्वेन प्रणयतीत्येवंशील आदिकरः" ૪ જુઓ ૧૫મા પૃષ્ઠગત છઠ્ઠી લેખ તેમ જ નામો ઉલ્લેખ. ५ " एवं रचयतां तेषां सप्तानां गणधारिणाम् । વર્ષમગાયત વિમિનાઃ ત્રવારનાદ ૧૨ अकस्पिता-ऽचलाभ्रात्रौः श्रीमेतार्य-प्रभासयोः। परस्परमजायन्त सहक्षा एव वाचनाः ॥१४॥ श्रीवीरनाथस्य गणधरेष्वेकादशस्त्रपि । द्वयोर्द्वयोर्वाचनयोः साम्यादासन् गणा नव ॥ १५॥" -ત્રિષષ્ટિ૦ (૫૧૦, સ. ૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy