SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સ્થાનાંગસમવાયાંગ: ૨ ૬. હાથમાં પ્રાણવિરોધના [અર્થાત્ હાથ ઉપરના જીનું પ્રતિલેખન કરવું જોઈએ તેના માટે ઉપર જણાવેલ નવ ખેટક કરવા તે ]. [-સ્થા. પ૦૩] (૧૧) વિહાર નિગ્રન્થ કે નિગ્રન્થિનાને એક માસમાં બે વાર કે ત્રણ વાર આ પાંચ નદીઓ ઊતરવી કે તરવી કપે નહિ૧– ૧. ગંગા; ૨. જમુના ૩. સયૂ:૪. ઈરાવતી; ૫. મહી. છે પણ નીચેના પાંચ કારણે ઊતરવી કે તરવી કલ્પ– ૧. ભય – રાજાને કે શત્રુને; ૨. દુષ્કાળ; ૩. કેઈ શત્રુ નદીમાં વહાવી દે, ૪. સામું પૂર આવી પડે; ૫.. અનાયે આવી ચડે. * [-સ્થા. ૪૧૨] હું પ્રથમ પ્રાવૃત્ (ચોમાસું) થયા પછી નિગ્રન્થ-નિગ્રન્થિનીને ૧. બૃહત્કલ્પમાં ઉ૦ ૪. સૂ. ૩રમાં પણ આ જ નિયમ ભચાદિના અપવાદ વિના બતાવ્યો છે, પણ ત્યાં ઈરાવતીને બદલે કેશિકાને ઉલ્લેખ છે. વળી અપવાદમાં એમ કહ્યું છે કે, ઈરાવતી નદી જેનું કુણાલ નગરી પાસે અડધી જાંધ સુધી પાણી રહે છે તેને પાર કરવાની છૂટ છે. અહીં મહી નદીના નામને નિર્દેશ માત્ર ઉપલક્ષણ છે. તેવી બધી મેટી નદીઓ જેમને પાર ઊતરવી કઠણ છે, તે સૌ સમજી લેવી. ૨. અષાઢ અને શ્રાવણ એ બે માસ પ્રાતુ ગણાય છે. તેમને પ્રથમ માસ તે પ્રથમ પ્રાવડ. અથવા પ્રાડ ચોમાસું ચાર માસનું ગણાય છે તેમાંના છેલ્લા ૭૦ દિવસ એ બીજું પ્રાવૃડ ગણાય છે. તે દિવસમાં તો વિહાર કરાય જ નહિ. અને ત્યાર પહેલાંના દિવસે માં – પ્રથમ પ્રાવૃડમાં પણ ૫૦ દિવસ કે ૨૦ દિવસ પણ વિહાર કર્ભે નહીં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy