SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ פד નવકારથી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જૈન આગમ મંદિર, પાલીતાણા ૧૮-૩-૮૫ જીવનમાં આત્મા અને તેની શકિતઓનો યથાયોગ્ય વિકાસ, કે જે સંપૂર્ણતામાં પરિણમે તેવું કરવાની ખાસ નેમ રાખવી જરૂરી છે. તે માટે આત્માને ઓળખવાની જરૂર છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે લક્ષણથી. તે હિસાબે જડ પદાર્થથી જુદો પડે છે. પણ ચૈતન્ય શબ્દનો જરા વિસ્તારથી અર્થ વિચારતાં, જગતના કોઈ પણ દ્રવ્યમાં ન હોય તેવી મહત્ત્વની, સ્વ અને પરને જોવા, જાણવા અને અનુભવવાની વિશિષ્ટ શકિતરૂપ ચૈતન્ય ગુણ આપણો અસાધારણ ગુણ છે. ત જગતના દરેક પદાર્થો જ્ઞેય છે, જ્ઞાતા કોઈ નથી. દરેક પદાર્થ દૃશ્ય છે, દ્રષ્ટા કોઈ નથી. દરેક પદાર્થો ભોગ્ય છે, ભોકતા કોઈ નથી. જ્ઞાતા, દ્રષ્ટા, અને ભોકતા તો માત્ર જીવ પદાર્થ જ છે. પણ અનાદિસિદ્ધ આપણા આત્માની વિભાવ દશાથી આપણે, જ્ઞાતા-દ્રષ્ટા-અને ભોકતા માત્ર પુદ્ગલ કેન્દ્રિય બની ગયા છીએ. તેથી તીર્થંકર પરમાત્માઓએ અજકુલગતકેશરી (બકરાના ટોળામાં ભળેલ સિંહ)ના ન્યાયથી, પોતાના શુદ્ધ સ્વરૂપને સામે બતાવી, તીર્થંકર પરમાત્મા આપણા અશુદ્ધ આત્માને ઢંઢોળીને જણાવે છે કે Jain Education International ભાઈલા ! તું પણ આવા વિશુદ્ધ સ્વરૂપનો ધણી છે, માત્ર તારી જ્ઞાન-દર્શનની શકિતઓને તથા વેદનની શકિતને પુદ્ગલ તરંથી હટાવી, તારા આત્માના પ્રદેશે રહેલ (માત્ર કર્મથી ઢંકાયેલા) અને ૮ રુચક પ્રદેશમાં નિરાવરણપણે રહેલ અખંડ, અવ્યાબાધ અનંત, સચ્ચિદાનંદમય જ્ઞાનપ્રકાશને અનુભવવા, જોવા, જાણવા તું જરા સત્ પ્રયત્ન કર! આમ પરમાત્મા આપણને મૂર્તિના માધ્યમથી, આપણા અંતરાત્માને ઢંઢોળીને જાગૃત કરવા પ્રયત્નશીલ છે પણ પુદ્ગલ પ્રેમ અને મોહના આકર્ષણથી આપણે પરમાત્માના કરુણાભર્યા સાદને પારખી શકતા નથી. તેથી જ્ઞાનીઓએ આપણા આત્માની મોહજન્ય દશાને સુધારવા, સીધા નાકામાં નહીં પરોવાતા દોરાને વણીને થૂંકવાળો કરી ઝીણો-પાતળો જેમ બનાવાય તેમ પરમાત્માના દર્શનથી, અંતરાત્મામાં રહેલ વિશુદ્ધ સ્વરૂપના દર્શન માટે અવરોધરૂપ રહેલ, પુદ્ગલ પ્રેમ અને મોહજન્ય આસકિત આદિને ટાળવા દર્શન, પૂજન, વ્રત, નિયમ, અને ષડાવશ્યકનું આલંબન આદિ ક્રિયાયોગને, જ્ઞાનીની આજ્ઞા અને વિધિ પ્રમાણે કરી ક્રિયાયોગનું બળ મેળવી, અંતરંગ મળને હટાવવા વ્યવસ્થિત રૂપરેખા જણાવી છે. આત્માના સ્વરૂપની શાબ્દિક ઓળખાણ તે આત્માને ઓળખવા માટેનો વ્યવસ્થિત પ્રકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy