SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા E ૨૪ વડાવલી ૮-૧-૮૪ વિક જણાવવાનું કે જીવનશુદ્ધિના મહેલમાં જવા માટે પ્રારંભિક જરૂરી ચાર પગથિયાં છે. ૧. દેવ-ગુરુનો આદર – પૂજનાદિ ૨. સદાચાર. ૩. તપસ્યા. ૪. મુક્તિ પ્રત્યે અપ્રીતિનો ઘટાડો. જીવનમાં શુદ્ધિ મેળવવા આ ચાર મહત્ત્વના પદાર્થોને યથાયોગ્ય રીતે અપનાવવા જરૂરી છે, જેમાં પ્રથમ અને ચોથું બે ખાસ જરૂરી સાધન છે. બીજું, ત્રીજું સહકારી કારણ છે. જેમાં દેવ = વીતરાગ પ્રભુ પ્રતિ અંતરંગ બહુમાન પ્રીતિનો ભાવ એવો દઢ કેળવવો જોઈએ કે અંતરમાં તેમના વચનના સુદઢ વિશ્વાસના કારણે તેમનું નામ સાંભળતાં ઉમળકો આવે. તેઓની આજ્ઞા અને માર્ગદર્શન ખૂબ જ રુચિકર – ઉપાદેય અને છતી શકિતઓ અમલમાં મૂકવાની તત્પરતા કેળવવી જોઈએ. શ્રી વીતરાગ પ્રભુના દર્શન વંદન – પૂજનના વિધિપૂર્વક આચરણથી આપણા આત્મા પર વળગેલ મોહના સંસ્કારોની માયાજાળ વિખરાવા માંડે છે. વધુમાં આપણા આત્મામાં કર્મના પુદ્ગલોને ખેંચવાની - પકડવાની- બાંધવાની જે ખાસિયત-યોગ્યતા અનાદિકાળથી ઘર કરી ગઈ છે જેને શાસ્ત્રીય પરિભાષામાં સહજમલ કહેવાય છે, તે સહજમલ દેવ - વીતરાગના અનંતાનંત ગુણોના સામર્થ્યના ચિંતનપૂર્વક ઊપજેલ આદર - બહુમાન સાથે કરાતા દર્શન - વંદન – પૂજનાદિથી ઘટવા પામે છે. પરિણામે કર્મ બાંધવાની શક્તિ ઘટી જાય એટલે આપણો આત્મા સહજ રીતે નિર્મળ થવા માંડે, જેમ કે પેટના બગાડથી શરીરના મોટા ભાગના દર્દી ઊપજે છે, જો દવા પેટના બગાડને ઘટાડે તો પરંપરાએ બધા દર્દી ઘટે જ ! પણ પેટના બગાડને ઘટાડવાની તાકાત વિનાની દવાથી બીજા દર્દી ઉપરથી સમાયેલા દેખાય પણ જરાક અપથ્ય-કુપથ્ય થતાં પુન: બધા દર્દી જેર કરે જ ! આ રીતે આપણા આત્મામાં અનાદિકાળથી ઘર કરી ગયેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતાનો ઘટાડો ન થાય તો રાગાદિ વિકારો નિમિત્તને પામી આત્મામાં ખળભળાટ કર્યા જ કરે. પણ ગુણાનુરાગની વિશિષ્ટ ભૂમિકાએ ઊપજેલ વિશિષ્ટ આદર, બહુમાન સાથે કરાતા શ્રી વીતરાગ પ્રભુના દર્શન - વંદન – પૂજનાદિથી સહજમલ - અંતરની અશુદ્ધ યોગ્યતાનો ક્ષય થવા માંડે છે. એટલે સરવાળે રાગાદિ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy