SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા વચ્ચે અવરોધો ઊબડખાબડ જમીનના કે નાના મોટા પથરાના ઢગલા આવે તેમ નદીના વહેણમાં વેગ અને ખળભળાટમાં ધસારાની વૃદ્ધિ થાય છે, તેમ આપણી જીવનશકિતના વહેણમાં જેમ વધુ વિક્ષેપો આવે તેમ આપણી સાધનાની ભૂમિકાની પારખ તેમજ અંતરની પકકડ કેટલી વિશિષ્ટ છે ? તેની માત્રા આપણને સમજાય ! તેથી સાધકો માટે વિક્ષેપો આશીર્વાદરૂપ નીવડે છે. જો હકીકતે ગુરુકૃપા બળે અંતરની દૃષ્ટિ ખીલી હોય તો વધુ ને વધુ વિક્ષેપોથી આપણી અંતરશકિત વધુ ખીલે એ શ્રદ્ધા જીવનમાં ટકાવી રાખવી જરૂરી છે. פול ૧૩ Jain Education International ૨૩૧ 延 જૈન બોર્ડિંગ, પાલનપુર ૨૪-૧૦-૮૩ વિ આરાધનાના પંથે શ્રદ્ધા મુખ્ય ચીજ છે. થઢાના પાયામાં વિષયનો વિરાગ અને આરાધ્ય પ્રતિ અપૂર્વ ભક્તિભાવ આ બે ચીજ મહત્ત્વની છે. વિષયોનો વિરાગ એ આપણી વૃત્તિઓનો નેગેટિવ એપ્રોચ છે. તે થયા વિના આરાધ્ય પ્રતિ અપૂર્વ ભકિતભાવ રૂપે રાગવૃત્તિનો પોઝીટીવ એપ્રોચ જામી શકતો નથી. કેમ કે પ્લગ એક છે, આ બાજુથી કાઢી આ બાજુ લગાડવાનો છે. રાગવૃત્તિમાં પકકડ સારી હોય છે પણ આધ્યાત્મિક માર્ગે પુદ્ગલની પકકડ અવરોધ ઊભો કરે તેથી પુદ્ગલમાંથી રાગના પકકડરૂપ પ્લગને કાઢી આરાધ્ય પંચપરમેષ્ઠીમાં તે રાગ પ્લગને ભકિતભાવ રૂપે જોડવાથી શ્રદ્ધાનો પાયો મજબૂત બને છે. અંતરમાં વિષયનો રાગ ઘટે અને આરાધ્ય પરમેષ્ઠીઓ પ્રતિ ભકિતભાવ વધે તો શ્રદ્ધાનો પાયો સુદૃઢ થયો ગણાય. વળી શ્રદ્ધાના પાયાની દૃઢતા થાય એટલે આંતરિક વિચારોનું ઘમસાણ સર્વથા બંધ થઈ જાય. કેમ કે વિચારોનો સંઘર્ષ વિષયોના રાગની પ્રબળતાથી અને આરાધ્ય પ્રતિ ભકિતરાગની નિર્બળતાથી ઊભો થાય છે. આપણામાં વિષયોનો વિરાગ અને આરાધ્ય પ્રતિ રાગની તીવ્રતા હોય તો સંકલ્પો જ ન ઊઠે તો પછી સંકલ્પોમાંથી ઊભા થતા વિચારો ઊપજે જ કયાંથી? હૈં ! હવે શું થશે ! આમ થયું છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy