SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ૨૦૯ ૧૦૬ જૈન આગમમંદિર, પાલીતાણા ૧૨-૧૦-૮૪ શ્રી નવકારના શરણે આવનારની કોઈ ચિંતા ટળ્યા વગર રહેતી નથી. ચિંતાનું મૂળ કારણ અજ્ઞાન અને પુગલનો તીવ્ર રાગ છે. શ્રી નવકારના સ્મરણથી અંતરમાં વિવેક શકિતનો ઉઘાડ થાય એટલે અજ્ઞાન દશા અને પુદ્ગલનો રાગ બને ઘટવા માંડે. ચિંતા થવાના કારણમાં ઔદયિક ભાવોની ગડમથલ કે જે ઔદયિક ભાવોની વ્યવસ્થા જ્ઞાનીના જ્ઞાનથી નિયત જ હોય છે – આ વાતની બિન જાણકારીમાંથી પ્રગટે છે વળી પુગલરાગની તીવ્રતાએ પુદ્ગલના ખેંચાણથી ચિંતા થાય. પણ શ્રી નવકારના જપથી આત્મતત્ત્વની શુદ્ધિની માત્રા વધતી જાય તેમ પુદ્ગલનું ખેંચાણ ઘટતું જય. એટલે ચિંતાઓનો લય જ થાય! તમે પુણ્યવાનો ચિંતાઓના નાશક શ્રી નવકારના શરણે ચાલવાની ભૂમિકાએ બાળપણની મુવયમાં જ પૂર્વના પુણ્યયોગે આવી શક્યા છો. તે પૂર્ણ સૌભાગ્યની વાત છે. પણ હવે તમે જે ગધ્ધાપચ્ચીશી (૨૫ વર્ષની ઉમર)માંથી નીકળી ઊંટિયા ચાલીશી (૨૬ થી ૬૫ વર્ષમાં પ્રવેશી રહ્યા છો તેમાં જાતજાતના અજ્ઞાન - અવિવેક અને કુસંસ્કારોના જાળામાં પગ ન મુકાઈ જાય અને વિચારોની દોરવણીનો દોર શ્રી નવકાર અને તેની આરાધનાના બળે ઊપજતી સન્મતિ સહજ ફુરણા હસ્તક રહે તે ખાસ જરૂરી છે. પરિસ્થિતિ અને સંજોગોના નામે જે તે દોર મન કે સંસ્કારોના હસ્તક ગયો તો આરાધનાની ભૂમિકા ડોળાઈ જાય તેવી સ્થિતિ કદાચ ઊભી થાય, માટે સમજણપૂર્વક વિચારોને પરિસ્થિતિના ઉકેલના ધોરણે વાળવાના બદલે કર્તવ્યનિષ્ઠાના ધોરણ તરફ તેમજ આપણી લક્ષ્યનિષ્ઠાની વૃત્તિ તરફ વાળવા પ્રયત્ન થાય તે ખાસ જરૂરી છે. આ ઊંટિયા ચાલીશી (૨૬ થી ૬૫)માં બાળપણના સંસ્કારોમાંથી પ્રગટેલ ગધ્ધાપચીસી (૨૫ વર્ષની ઉમર સુધીની)નાં અનર્થોની ક્ષીણતા વધુ જોર પકડી જાય તેવું બને તેથી પરિસ્થિતિનો સંઘર્ષ સાથે હોય તેને લક્ષ્ય જાગૃતિ અને કર્તવ્યનિષ્ઠાના સુમેળથી વિચારવાનો સપ્રયત્ન કરવો જરૂરી છે. " અંતરમાં શ્રદ્ધાભક્તિ શ્રી નવકાર કે પંચ પરમેષ્ઠી પ્રતિ જેટલું વધુ કેળવાય તેટલી વધુ લક્ષ્યનિષ્ઠા આપણામાં કેળવાય, પરિણામે કર્તવ્યનિષ્ઠા પણ જાગૃત થાય અને વિચારો પરિસ્થિતિ ગામી ન બને, સંઘર્ષાત્મક સ્થિતિનો ઉકેલ સહેલાઈથી આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy