SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આપણી લક્ષ્ય જાગૃતિ થતાં જ શ્રી નવકાર તરફ્થી યોગ્ય શકિતનું પ્રદાન મળી જ રહે છે. જેમ કે નાનું બચ્ચું આતકાળે ભેંકડો મોટેથી તાણી પોતાની માને પોકારે છે કે તુરત મા પોતાનાં બધાં કામ પડતાં મૂકી બાળકની જરૂરિયાતોને પૂરી કરવા તત્પર થઈ જાય છે, તેમ શ્રી નવકાર માતા પણ આપણી લક્ષ્ય જાગૃતિ થતાં જ યોગ્ય શકિતનો પૂરવઠો પૂરો પાડવા તૈયાર જ રહે છે. માત્ર આપણે નિયમિત જાપ, તેના સાહિત્યના વાંચનથી ઊપજતી લક્ષ્ય જાગૃતિ અને અંતરથી તેના શરણે રહેવાની તત્પરતા કેળવવાની જરૂર છે. વળી શ્રી નવકારમાં જે જગતના ઉચ્ચ-પરમોચ્ચ વિશુદ્ધ તત્ત્વોના આદર, બહુમાન, ભકિત, શ્રદ્ધાનું પોષણ છે તેને કૃતજ્ઞતા વિનય, અંતરંગ ગુણાનુરાગ દ્વારા વધુ વ્યવસ્થિત રીતે આપણા માનસમાં આદરપૂર્વક પધરાવવાની જરૂર છે. ૧૯૫ જેમણે આત્મવિકાસ સાધ્યો છે તેમણે પાંચ પરમેષ્ટિઓની શ્રદ્ધા ભકિત સાથે કૃતજ્ઞતાભરી માનસિક વૃત્તિઓમાંથી જન્મતી તેઓની આજ્ઞાના પાલનની અહોભાવ ભરી વૃત્તિથી જ તે મેળવ્યો છે. આજના જડ વિષમ ભૌતિક અંધાધૂંધી ભરેલ યુગમાં જીવનના પરોઢે જ જુવાનીનાં તોફાનો શરૂ થાય તે પૂર્વે જ પૂર્વના વિશિષ્ટ પુણ્યયોગે શ્રી નવકાર મહામંત્ર મળી જાય અને તેના સ્વરૂપની વિચારણા ગમવા લાગે તો પરિણામે તમો જીવનને આબાદ રીતે ભૌતિક વિષમ વાસનાની ભૂતાવળની પકકડમાંથી બચાવવાના શુભપંથે વળી શકો. આ બધો દેવ-ગુરુની કૃપાનો પ્રતાપ છે. તમારામાં વ્યવહારની જવાબદારીઓ ઉકેલવાની તમન્ના પાછળ જો શ્રી નવકારના શરણાગતિભાવથી અંતરંગ વિવેક બુદ્ધિનો પ્રકાશ ભળી જાય તો ખૂબ જ ઝડપી તમારામાં એવી શકિત પાંગરે કે વ્યાવહારિક વિષમતાઓ આપોઆપ ટળી જાય. ટૂંકમાં તમારામાં નિષ્ઠા છે, શ્રદ્ધા છે, ભકિત છે. શરણાગતિ ભાવ જરા ખૂટે છે તેનો ઉમેરો થઈ જાય તો ઝડપી આત્મશક્તિઓ તમને યોગ્ય રસ્તે પ્રગતિ કરતી અનુભવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy