SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૮૮ પોતાનું સ્ટેટસ - માની લીધેલી પ્રતિષ્ઠા – ઈજજતનું ધોરણ નીચું ન પડે તે માટે અમૂક ધર્મક્રિયાઓની આચરણાના પરદાને ઓઢી પોતાના અંતરંગ સ્વરૂપને ઢાંકવા મથે છે. આ કારણે પ્રચ્છન્ન પાપવૃત્તિ (ગુપ્તપણે વાસનાઓને સમર્થન આપી તેને પોષવાની વાત) જીવનમાં ઘર કરતી જાય છે. પરિણામે પોતે પોતાની જાતને ભૂલી જાય છેહું કેવો છું તેના યથાર્થ વિચારના બદલે હું સારો દેખાઉ એની ધૂનમાં અનેક પ્રકારનાં નવાં દંભ, પ્રપંચ અને માયા કપટ દ્વારા અંતરંગ વૃત્તિઓમાં મલિન તત્ત્વોનો વધારો થવા પામે છે. તેથી શ્રી નમસ્કાર મહામંત્રના આરાધકે જાપની ભૂમિકાએ પ્રારંભથી જ આપણી અંતરંગ જાતની ઓળખાણ મેળવી તેના સંશોધનમાં શ્રી નવકારના ૬૮ વણને વ્યવસ્થિત પદ્ધતિપૂર્વક જાપરૂપ સાબુથી શુદ્ધીકરણ તરફ લક્ષ્ય કેળવવું. બહિરંગ જીવનના આભાસિક સ્વરૂપના વ્યામોહથી અળગા રહેવું જરૂરી છે. આ માટે જાપના ત્રણ પ્રકારમાં સૌ પ્રથમ ભાષ્ય જા૫ - મંદ સ્વરે પણ શુદ્ધ સ્પષ્ટ ઉચ્ચાર – જેને બીજે માણસ પાસે બેઠેલ) સ્પષ્ટ સાંભળી શકે તે રીતે કરવો જરૂરી છે. આનાથી આપણા બહિરંગ જીવનના આભાસને ઊપજાવનાર બહિવૃત્તિનો પરદો ખસવા માંડે છે. પછી ઉપાંશુ જાપ – એટલે અંદર ઉચ્ચાર કરવો, હોઠ-આભ હાલવા ન દેવા, અંતરંગ શબ્દોચ્ચારની પદ્ધતિએ અંતરંગ સ્વરૂપની સાચી ઓળખાણ થાય. પછી ત્રીજે રહસ્ય જાપ – એકદમ શાંતચિત્તે મનના માધ્યમથી કરાતો જાપ. આનાથી અંતરંગ જીવનમાં રહેલાં વાસના, અજ્ઞાન, મિથ્યાત્વ, પુદ્ગલપ્રેમ, કષાયો, કદાગ્રહ વગેરે ભારે દુર્ગણો પણ ગરમીથી બરફ ઓગળે તેમ હઠવા માંડે. સૌ પ્રથમ ભાષ્ય જાપ તેનાથી ૧૦૦ ગુણી શકિત, ઉપાંશુ જાપની, તેનાથી ૧૦૦૦ ગણી શકિત, રહસ્ય જાપની .. રહસ્ય જાપ - માત્ર આત્મા-મનના માધ્યમથી પ્રત્યક્ષ દેખાતા સ્ફટિક-વર્ણ જેવા ૬૮ અક્ષરોને સ્થિર અંતર દષ્ટિથી જોઈ રહી તેના ધ્યાનમાં લીન થઈ જવું. આ રીતે ત્રણ પ્રકારના જાપની પદ્ધતિથી આપણા અંતરંગ સ્વરૂપની ઓળખાણ આડે રહેલ બહિરંગ સ્વરૂપની આડશ હઠી જાય છે, એટલું જ નહીં પણ અંતરંગ સ્વરૂપની ઓળખાણ થયા પછી તેની યથાયોગ્ય પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ સફળતાપૂર્વક થઈ રહે છે. તમો નિયત સમયે – સ્થાને નિયત સંખ્યાથી ભાષ્ય જાપના અભ્યાસથી ઉપાંશુ જાપની ભૂમિકાએ દઢ બની ત્રીજા રહ: જાપ - માનસિક જાપમાં ખૂબ ખૂબ પ્રગતિ સાધો એ ઈચ્છવા જોગ છે. - તમારી અંતરની શકિતઓ વિવિધ જાપથી લક્ષ્યગામી બની તમારી જીવન શકિતઓને ખરેખર ઉર્ધ્વગામી બનાવે, તમો અંતરથી આ શકિતઓના વિકાસને જીવનની આધ્યાત્મિક યાત્રા રૂપે અનુભવી શકો – એ અંતરની પ્રાર્થના છે. તમારામાં આ જાતની ઊંડાણથી હકીકતમાં અભીપ્સા = તીવ્ર તમન્ના જાગે એ ખાસ જરૂરી છે. આ તમન્ના જગાડવા પૂ. પં. શ્રી ભદ્રંકર વિમ. નું પ્રાથમિક સાહિત્ય, શ્રી નવકારની કથાઓ, પ્રભાવ, ચમત્કારોની માહિતી તથા શ્રી નવકાર અંગેની પત્રમાળાનું વાંચન કરવાની ખાસ જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy