SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ખૂબ જ કેળવવો જરૂરી છે. આ સમર્પિતભાવની કિંમત તમે સમજતા હોવા છતાં સમર્પિતભાવ તમારામાં હાથીની સૂંઢ જેવો છે. તમારે નીચેથી ઉપર સૂંઢને જોવાની દૃષ્ટિ રાખવી. સમર્પણભાવ વધુને વધુ દૃઢ કેમ બને ? તો જ વૃત્તિઓમાં સંવાદિતાનું તત્ત્વ પ્રગટે. અત્યારે સંસારની ઉપાધિમાં જવાબદારીના હિસાબે લૌકિક લાજના હિસાબે ઓતપ્રોત હશો, પરંતુ શ્રી નવકારને ક્ષણવાર પણ ન ભૂલવો. દર પાંચ મિનિટે શ્રી નવકારને યાદ કરવો. હે નવકાર ! હું તારો શરણાગત છું. હું માત્ર ઈંસ્ટ્રુમેન્ટ છું. તારે મારું આરાધનાનું માળખું સાચવવાનું છે. આ બધી વ્યવહારની પ્રવૃતિઓ કરવા ખાતર પ્રામાણિકપણે કરું છું, પણ તેના ફ્ળની ચિંતા હું નથી કરતો. ગીતાના શ્રી કૃષ્ણના શબ્દો – “ર્મળિ વ અધિષ્ઠાસ્તે, મા તેવુ વાચન' એ શબ્દો ભૂલવા જેવા નથી. ફળની માથાઝીકમાંથી રાગ-દ્વેષ ઊભા થાય. પ્રામાણિક જરૂરિયાત પ્રમાણે શ્રી નવકારના માધ્યમરૂપે કર્મ = પ્રવૃત્તિ કરતા રહેવા પ્રયત્ન કરવો. પણ મારું આમ થાય તો સારું! અગર આમ થવું જ જોઈએ એવા ગ્રજગ્રાહમાં પડી આપણે આપણી વૃત્તિઓને સમર્પણના તખતા પરથી ખસેડી ન લેવી. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ટૂંકમાં બીજ ભૂમિને સમર્પિત થાય છે, તો મોટો ઘટાદાર વડ તૈયાર થાય છે. તેમ તમારી શ્રદ્ધા ભકિતનું બીજ સમર્પણના બળે ખૂબ ઘટાદાર આરાધનાના વડરૂપે ફળો એ શુભ કામના !!! פל Jain Education International ૮૬ જૈન આગમ મંદિર, પાલીતાણા ૮-૫-૮૪ વિ તમારું જીવન શ્રી નવકારના પ્રતાપે આંતરિક શાંતિમય હશે. વિચારોમાં ખળભળાટ પુરાતન સંસ્કારોને લઈને થાય છે. શ્રી નવકારના સ્થાન સમયના નિયતીકરણ સાથેના નિયમિત જાપથી સંસ્કારોની ગતિ થંભી જાય છે. સાધનાના માર્ગે ચાલતાં આવી સ્થિતિ સહજમાં એકાએક ન આવે પણ વ્યવસ્થિત નિષ્ઠા-ભકિત ભર્યા સમર્પણભાવ સાથે જ્ઞાનીની નિશ્રાએ નિયમિત જાપ કરવાથી - For Private & Personal Use Only 延 www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy