SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧૭ આ પાયાની વાતોની ઉપેક્ષા તમે જાણીને કરો છો એમ મારો આશય નથી પણ અતિપરિચયાદવજ્ઞા- વારંવાર જે વાત સંભળાય તેની અવજ્ઞા થવા સંભવ છે. જે હૈયામાં તે અંગે યોગ્ય વિવેકબુદ્ધિ ન હોય તો... ખરેખર તો વિચારોને સવળી દિશામાં વાળવા માટે પાયાની પણ વાતને જીવનમાં સ્થિર કરવા માટે બરાબર ધારવાની જરૂર છે. જીવનના પરોઢે સ્કુલ - શાળા – કોલેજના જીવનના વળાંકમાં જ તમોને શ્રી નવકાર ભેટી ગયો અને જીવનની દિશાને તમે સમજી શકાય પણ સમજણ સાથે વર્તનમાં બાહ્ય તૈયારી તમે કરી શકયા છો. પણ થોડી તેમાં અંતરની જાગૃતિની ખામી છે. તે દૂર કરવા તમારે આહારની સાત્વિકતા આદિ બાબતો માટે ખૂબ સજાગપણે સભાન થવાની જરૂર છે. તમારા જીવનમાં શ્રી નવકારની પધરામણી સાથે આંતરિક શાંતિ અને વિવેકની સમતુલાની જોડી સક્રિય થવી જોઈએ એમ મારું માનવું છે. તમે આનો દિવ્ય અનુભવ નથી કરી શકયા તે અંગે તમોને પણ દુ:ખ છે. પણ તે માટે આંતરિક ઉલ્લાસ સાથે અંતરના પુરુષાર્થની ખાસ જરૂર છે. તે માટે પાયાની વાતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશો. GI૬ જૈન આગમ મંદિર, તળેટી, પાલીતાણા ૭-૪-૮૪ આરાધનાના તાર કયારેક ઝણઝણી ઊઠે, કયારેક સાવ ઢીલા થાય આવું આરાધકોને પ્રાથમિક અવસ્થામાં થાય. આજ્ઞા અને નિષ્ઠાના પાયાની મજબૂતાઈ ન થઈ હોય ત્યાં લગી આવું થવા સંભવ છે. પણ શ્રી નવકાર એ શ્વાસની પ્રક્રિયાની જેમ આપણા માટે અનન્ય સાધન છે તે વિના રહેવાય જ નહીં. શ્વાસના વિકલ્પમાં ઓકસીજન છે. પણ શ્રી નવકારના વિકલ્પમાં કોઈ નથી. આ વાત આરાધનાના પંથે ચાલનારા આપણા માનસમાં સ્થિર થઈ જાય તો આરાધનામાં મંદતા આવવાનો સંભવ ઓછો - તમારા - શ્રદ્ધાથી ભરેલા હૈયામાં શ્રી નવકાર પ્રતિ ભકિત-આદર-સન્માન-બહુમાન આદિ ભરચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy