SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ le ८३ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલીતાણા ૭-૪-૮૪ વિ આરાધનાના પંથે ચાલતાં વિવેકબુદ્ધિમાં સહારાની ખાસ જરૂર છે. કેમ કે વાસના મોહ (મારું) માયાની લપસણી ભૂમિમાં થઈ સાધનાનાં આકરાં ચઢાણ ચઢવાના હોય છે. * તેમાં વિવેકબુદ્ધિનો સહારો ખાસ જરૂરી છે, તેનાથી વાસના-માયાની ફસામણીથી બચાય છે. અને અશુભવૃત્તિઓને સક્રિય બનાવનાર અંતરંગ વિકૃત તત્ત્વને કાબૂમાં લઈ શકાય છે. જાપ - સ્મરણ અને સ્વાધ્યાય આ ત્રણ સાધનો આંતરિક સાધના માટે જરૂરી છે. આ ત્રણેમાં વિવેકબુદ્ધિની ખાસ જરૂર છે, કેમ કે તેનાથી અંતરની જાગૃતિ કેળવાય છે. દુન્યવી વાતાવરણ અને ભૌતિક પદાર્થોની જંજાળમાંથી તમો આ જાતની વિવેકબુદ્ધિના બળે જ બહાર આવી શકો. આરાધનાના પંથે વિચારની ભૂમિકાએ થતું મંડાણ પાયા વગર ગારામાં કરેલ ચણતર જેવું બની જાય છે. પણ અંતરજાગૃતિ બળે પરમાત્મસ્વરૂપને નજર સામે રાખી તે લક્ષ્યને મેળવવા, વચ્ચે આવરણ ભૂત રહેલ કર્મના પડદાને ખસેડવાના પ્રબળ પુરુષાર્થના તીવ્ર લક્ષ્યની જાગૃતિરૂપ મજબૂત પાયા પર આરાધનાનો પંથ વજ્રના ચણતરરૂપ થઈ જાય છે. Jain Education International બાહ્ય-વાતાવરણ તેમજ વ્યાવહારિક સંયોગોની વિષમતાના સરવાળાથી વિષમ દેખાતી પણ તમારી જુવાની, નિષ્ઠાપૂર્વક અંતરંગ સમર્પણભાવની કેળવણી સાથે વિચારોના સ્થાને શરણાગતિભાવ કેળવી જો નિયમિત રીતે આહારશુદ્ધિ, વાતાવરણશુદ્ધિ અને વિધિશુદ્ધિના સુમેળપૂર્વક શ્રી નવકારના જાપ-સ્મરણરૂપ આરાધના, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી છેવટે જલ-ચંદન-પુષ્પ એ ત્રણ પૂજાના બળવાળી થવા પામે અને તેમાં સાત્ત્વિક આહારશુદ્ધિ, રાત્રિ-ભોજનત્યાગ, રાત્રે ૮ ૯ પછી ઘર બહાર ન જવું - આદિ મર્યાદા પળાય તો અંતરંગ સાધનાનું બળ વિકસવા પામે એ નિશંક હકીકત છે. - - તમારા મગજમાં જાપ વખતે હળવાશ હોવી જોઈએ - જેમ કે બચ્ચું માતાની ગોદમાં સમાય – જ્ઞાન વધતાં શ્રી નવકારના શરણે અંતરંગ ભાવોનું સમર્પિત બળ વધુ કેળવાય. પરિણામે શ્રી નવકાર ગણતી વખતે મગજ હળવું રહે. છેવટે એક-બે માળાના જાપ પછી તો મગજ જરૂર હલકું ફૂલ જેવું બને. જેમ કે ગરમીમાં કંટાળેલો માનવ સીલિંગ ન કે વડના છાંયડા તળે આવે કે પાંચ દશ મિનિટમાં ઠંડક, ગરમીના કંટાળાથી રહિત બને – તેવી સ્થિતિ શ્રી નવકારના આરાધકની બનવી જોઈએ. તે ત્યારે થાય જ્યારે આપણામાં નિષ્ઠા - શરણાગતિ – સમર્પિતભાવ એ ત્રણે તત્ત્વોનો પુનિત સંગમ થવા માંડે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy