SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા વ્યાપારથી બચાવજે. આટલી પ્રાર્થના જરૂર કરવી, મનમાં ત્રણ નવકાર ગણવા. વિચારોની પવિત્રતા ખરેખર આહારની સાત્વિકતા સવાંચન અને વીતરાગપ્રભુની સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાથી આપોઆપ કેળવાય છે. તમે આ અંગે ખૂબ જાગ્રત રહી પ્રયત્નશીલ રહો, અનાદિકાળના અશુભ સંસ્કાર આપણી બુદ્ધિને વિકારી માર્ગે લઈ જવા પ્રયત્ન કરે, પણ અંતરમાં વિવેકની પ્રતિષ્ઠા શ્રી નવકારની પરમભકિત – જ્ઞાની મહાપુરુષની શરણાગતિ સાથે કરવામાં આવે તો અનાદિકાળના અશુભ સંસ્કારો નિર્બળ બને. અંતરમાં પરમાત્મશકિતની સક્રિયતાનો અનુભવ થાય. JD રાણપુર ૧૧-૩-૮૪ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધક વિવેકના સહારે પોતાની કર્તવ્યનિષ્ઠામાં ખૂબ દઢ હોય છે. તેથી શ્રી નમસ્કાર મહામંત્રની આરાધક પરિસ્થિતિ – સંયોગોની વિષમતાના પ્રચંડ તોફાનમાં સત્વહીન બનતો નથી. અંતરની સૂઝ તેનામાં સદાકાળ જાગ્રત રહે છે, એના બળે અંતરમાં પોતાની ફરજ બજાવવા સદા તત્પર હોય છે. આનું કારણ એ છે કે શ્રી નવકારની આરાધનાથી અંતરના કર્મની ગ્રંથિ ઢીલી પડે છે, કેમ કે કર્મની ગ્રંથિને ટકાવનાર મોહ-માયા અને તીવ્ર આસકિત છે. શ્રી નવકારની સીધી અસર આપણા અંતરમાં મોહનીય કર્મ પર થતી હોઈ મોહ કે તીવ્ર આસકિતનું પ્રમાણ ઘટવા માંડે છે. જે આપણા અંતરમાં શ્રી નવકારની આરાધના જાપ – સ્મરણ ચિંતન આદિ રૂપે ચાલુ રહેવા છતાં વિકારી-વાસનાઓ મોહમાયા કે તીવ્ર આસક્તિ પ્રબળ રહેતી હોય તો આપણે જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી પુનર્વિચારણા કરવાની જરૂર છે કે આરાધનાની કડી કયાંક ખૂટે છે તેથી આરાધનામાં પ્રબળતા આવતી નથી. પરિણામે મોહની પ્રબળતા કે તીવ્ર-આસકિત ઘટતી નથી. આ માટે બેદરકાર રહેવું તે આરાધકને ન શોભે. આરાધનામાં નેગેટિવ એપ્રોચ જેટલો નબળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy