SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પણ કરી રહ્યા છો એ સારી વાત છે. હજુ તમારે બે વાત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ૧. આહાર, ૨. વિહાર (ભાઈબંધો સાથે તેમજ દૈનિક વ્યવહાર). આહાર માટે ગેસ થાય તેવા તળેલા, ભારે અને બજારુ પદાર્થોનો વપરાશ ન કરવો ઘટે. રાત્રિભોજન – આંતરડાની શકિતને કમજોર કરે છે. કદાચ તમે ઑફિસેથી મોડા આવો, પણ શકય હોય તો આવ્યા પછી મોડું ન કરવું. ૧૬૫ ઉપેક્ષાભાવથી બીજાં કામોમાં પરોવાઈને રાત્રિભોજન પણ બહુ વિલંબથી કરવાથી આંતરિક વાસનાઓમાં વિકૃતિનું તત્ત્વ ઘર કરી બેસે, તેથી શકય હોય તેટલું ઑફિસેથી છૂટ્યા કે પ્રથમ જમવાનું વહેલામાં વહેલું પતાવી પછી માત્ર દવા-પાણીની છૂટ રાખવી. કયારેક કારણવશ બહુ મોડું થઈ જાય તો સૂર્યાસ્તથી ૧૫ કલાક પછી તો ભોજન ન જ કરવું, આટલું જરૂર જાળવવું ઘટે. આ પર ખાસ લક્ષ્ય - ધ્યાન આપવાની જરૂર છે કેમ કે આની મગજ વિચારો વાસના અને અંતરના સૂક્ષ્મ મગજ પર બહુ ગંભીર અસર પડે છે. - બીજી વાત વિહાર – વાતાવરણ. જરૂર પડે ત્યારે ભાઈબંધોને પણ મળવું, કામ હોય તો બધું કરવું પડે, પણ લકઝરી ટાઈપથી વાતાવરણની મુકતતાનો ગેરલાભ ઉઠાવવામાં ઘણું ગુમાવાય છે – એ વાત ભૂલવા જેવી નથી. આપણા માનસ પર આહાર, વિહાર, વાતાવરણ અને વાંચન આ ચારની ઘેરી અસર પડે છે. તેનાથી અંતરમાં પડી રહેલ વિકૃતિ – વાસનાનાં બીજો સક્રિય બને છે. માટે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. રોજ રાત્રે ૧ કલાક ત્રણે જણા ભેગા મળી યોગ્ય રીતે શ્રી નવકાર અંગે, જીવન શુદ્ધિ અંગે, બ્રહ્મચર્ય અંગે વિચારણા કરો. તમો ભેગા ન થાઓ તો છેવટે પુસ્તકોની સહાયથી વિચારોને વૉશ કરવાની જરૂર છે, વાંચનનો અતિરેક થઈ ગયો છે ત્યાં બ્રેકની જરૂર હવે લાગે છે. આખા દિવસના શ્રમથી કંટાળી ગયા હો એટલે જે તે છાપાં વાંચી માનસિક સંતોષ મેળવો છો પણ ખાસ કરીને કલ્યાણ, સુઘોષા કે નવકારના સાહિત્ય વિના બીજું ન વાંચવા પર ભાર મૂકવાની જરૂર છે. એકંદરે એક કલાક ધાર્મિક - સિલેકટેડ (મારા સૂચવેલ સિવાયનું નહીં) સાહિત્યનું વાંચન ખાસ જરૂરી છે. જાપની સાથે આની પણ ખાસ જરૂર છે. વિચારોને સંયમી બનાવવા એ રમત નથી. બહુ ભારે અઘરું કામ છે તે અંગે અંતરની સતત જાગૃતિ, વિશિષ્ટ સાહિત્યનું વાંચન અને આહાર વિહાર – શુદ્ધિ આદિની ખાસ જરૂર છે. - ખરેખર તો શ્રી નવકારના ભરોંસે શરણાગતિભાવની કેળવણી સાથે જીવનયાત્રાની ગાડી ધપાવવી જરૂરી છે. શ્રી નવકાર ! જીવન સદાચારી, સમૃદ્ધ, ધાર્મિક બને. કૃપા કરજે ! દુરાચાર, અનીતિ અને પાપ – Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy