SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા કેમ કે જ્ઞાનથી રાગની માત્રા ઘટે છે. દર્શનથી દ્વેષની માત્રા ઘટે છે. ચારિત્રથી મોહની માત્રા ઘટે છે. જ્ઞાનની પરિણતિ યોગ્ય જ્ઞાની નિશ્રાએ મેળવવાથી વૃત્તિઓમાં રહેલ પદ્ગલિક પદાર્થોની રાગ-વૃત્તિ ઘટવા પામે છે, પરિણામે આરાધના માર્ગમાં વારંવાર કફના પ્રકોપથી થતા સોજા - અને દમ – શ્વાસના વિકારોની જેમ આત્મપ્રશંસા રૂપ સોજા અને આરાધના માર્ગમાં ગ્લાનિરૂપ દમ-શ્વાસના વિકારો આપોઆપ શમી જાય છે. આ રીતે દર્શન = સાચી શ્રદ્ધાના વિકાસથી આત્મતત્વના મૌલિક સ્વરૂપના સંવેદનથી બીજ જીવો પ્રતિ અરુચિભાવ દ્વેષ = અપ્રીતિના પરિણામ શમી જાય છે. આંતરિક રીતે આત્મ-સ્વરૂપની બિન-જાણકારીથી જ આપણને બીજા જીવો પ્રતિ અરચિ = અપ્રીતિનો ભાવ ઊપજે છે. આ રીતે ચારિત્રથી મોહ-માયા-મમતાનું જોર ઘટે છે, કેમ કે ચારિત્ર એટલે આપણા આત્માના મૂળભૂત વીતરાગતાના સ્વભાવમાં સ્થિર થવું. તેનાથી મોહ – માયા – મમતાનાં બંધનો આપોઆપ ઢીલાં થાય જ. આ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી આપણા અંતરના રાગ-દ્વેષ-મોહરૂપ મૂળભૂત વાત-પિત્ત-કફના વિકારોને શમાવનાર નીવડે છે. જાપ રત્નત્રયી શ્રી નવકારની આરાધનાનો સાર છે, તે તરફ આપણું લક્ષ્ય કેંદ્રિત થાય તો રાગાદિ વિકારોથી આપણે શીધ્ર મુકત થઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy