SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૧૫૫ એટલે દુન્યવી પદાર્થોની તીવ્ર લાલસારૂપ મોહથી તે દુન્યવી પદાથોને મેળવવાનાં સાધનો પ્રતિ રાગ થાય અને કોઈ વચ્ચે આડો આવે, અંતરાય કરે, તે જીવ હોય કે અજીવ, તેના પર દ્વેષ થાય. એમ આ ત્રણથી આપણે ભારે કક્ષાનું તીવ્ર મોહનીય બાંધીએ છીએ જેનાથી વિશિષ્ટ કોટિનું અશાતા વેદનીય બંધાય છે, એકલું અશાતાદનીય નહીં, સાથે અંતરાય, નીચ ગોત્ર, અપજશ, દુર્ભાગ્ય, શરીરની ખામી, સારાં સાધનોનો ઉપયોગ ન કરી શકાય, છતે સાધને આપણે તેનો વ્યાવહારિક લાભ પણ ન ઉઠાવી શકીએ આદિ ઘણા અવરોધો આપણા વિકાસક્રમમાં આડા ગોઠવાય છે. પણ અહીં વાત રોગની એટલે અશાતા વેદનીયની વાત કરી છે. શ્રી નવકાર બુલંદ સ્વરે ઘોષણા કરે છે કે – સો પંખુરી સળં- પાવUસ આ પંચ પરમેષ્ઠીનો નમસ્કાર સર્વ = બધા = બધી જાતના પાપ = મોહના ઉદયથી કરેલ અશુભ પ્રવૃત્તિઓના પરિણામે ઊભા થયેલ અશાતા વેદનીય, અંતરાય, અપયશ, દુર્ભાગ્ય, નીચગોત્ર આદિ અવરોધો ઉપરાંત આત્મશકિતના વિકાસના મહા-અવરોધક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ૪ ઘાતીકને મૂળથી ઉખેડી નાંખવાની વિરાટ શક્તિ ધરાવે છે, એટલે શ્રી નવકારની ઉપાસનાથી અંતરંગ શક્તિઓનો એવો વિકાસ થાય જેનાથી દ્રવ્ય રોગો કે જે અંતરંગ ભાવ રોગોના કારણે ઊપજે છે તેનો મૂળથી નાશ થાય એમાં નવાઈ નહીં, પણ આત્મશકિતના વિકાસને આડે રહેલ સઘળા ભાવરોગોનો મૂળથી નાશ આ શ્રી નવકાર મહામંત્રના વિશિષ્ટ જાપ અને આરાધનથી થાય છે એ નકકર હકીકત છે. આવો રાજરાજેશ્વર સર્વકાર્ય સિદ્ધકર વિરાટ શકિતશાળી શ્રી નવકાર મહામંત્ર વિધિપૂર્વક તમોને મળ્યો છે પણ હજુ તમારા પગમાં સ્કૂર્તિ નથી આવી, જેમ-ઉત્સાહ તો તમારામાં ઘણા છે પણ દુન્યવી વાયરાના ઝપાટામાં તમે કયારેક ઉત્સાહહીન થઈ જાઓ છો તે મારા ધ્યાન બહાર નથી. તેટલા માટે જ ગુરુ-શનિવારની આ પત્રમાળા મારાં કેટલાંક જરૂરી કામો પડતાં મૂકીને પણ ચાલુ રાખું છું. તમારા જેવા યોગ્યતાસંપન્ન પાત્રજીવોને યોગ્ય પ્રેરણા દેવામાં મને પોતાને અંતરંગ સ્કૂર્તિ રહે છે. તમે આ પત્રોનું વાંચન નિયમિત કરો છો તે સાથે કેટલાંક આરાધનાનાં ખૂટતાં તત્ત્વોને ઉમેરવા પણ પ્રયત્નશીલ છો તે જાણી ખૂબ આનંદ થાય છે. હજી તમે આમાં ખૂબ ઝડપી પ્રગતિ કરો એ મારા બાવનમા દીક્ષા પર્યાયના ખરેખર અંત:કરણના શુભ આશીર્વાદ છે. આપણા જીવનને ધ્રુવતારક સમે મુદ્રાલેખ: * જીવનમાં અંતરના રાગાદિ દૂષણો ઘટે. * આપણે બીજાનાં દુ:ખને દૂર કરવા સમર્થ બનીએ. * આપણી શકિતઓ વિકારી – વાસનાઓના વંટોળમાં અટવાય નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy