SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા = વાતાવરણ શુદ્ધિ = આરાધનાને ડોળનારા હોટલ, T.V., સિનેમા – વર્તમાનકાલીન મનોરંજન શૉ વગેરેનો ત્યાગ. આ ૪ બાબતોનું ધ્યાન રાખનાર આરાધક અંતરની શક્તિઓને વિકસાવી શકે છે. મૈં ૬૪ ૧૩૧ 延 ૧૯-૧૧-૮૩ વિ શ્રી નવકારના આરાધક તરીકે વિચારોમાં જાગૃતિ કેળવવી જરૂરી છે જેથી આચારમાં આવતી ગરબડ રોકી શકાય. આપણા જીવનમાં બે સ્રોત વહે છે. એક આત્મકેન્દ્રીય, બીજો પુદ્ગલ કેન્દ્રીય. આત્મકેન્દ્રીય ચેતનાનો પ્રવાહ ઊર્ધ્વમુખી હોય છે. તેમાં આપણી જીવનશકિતઓને વાળવી અઘરી પડે છે, જ્યારે પુદ્ગલ કેન્દ્રીય સ્રોત અધોગામી હોય છે. વિકારી વાસનાના અનાદિકાલીન આવેગોના અભ્યાસ – ટેવથી અંતરમાં રહેલી શકિતઓ આપોઆપ તે તરફ ઝૂકી જાય છે. Jain Education International = તે અધોમુખી સ્રોત તરફ ઝૂકતી વ્યકિતઓને ઊર્ધ્વમુખી સ્રોત તરફ વાળવા માટે પ્રથમ તબકકામાં અધોમુખી ઝકાવ ઘટાડવા જીવનમાં કેટલાંક નેગેટિવ નિષેધાત્મક તત્ત્વોને વિકસાવવાં જરૂરી છે. તે શ્રી નવકારની આરાધનાનો પ્રથમ તબકકો છે. ખાન-પાન, રહેણી-કરણી, આહાર-વિહાર વાતાવરણ આદિમાં જેનાથી પુદ્ગલભાવ તરફ રાગ-દ્વેષની રીતે ઝૂકાવ થતો હોય તે ન થવા દેવો. તે માટે શ્રી નવકારની ચોકી મૂકી અંતરને જાગૃત સભાન રાખવા મથવું તે આરાધનાનો પ્રથમ પાયો છે. આ પાયા માટે તપ (ઇચ્છારોધ-વાસનાનિગ્રહ)નું બળ વધારવું જરૂરી છે. તેના પ્રાથમિક અભ્યાસરૂપે નવકારશી, રાત્રિ ભોજન ત્યાગ, અભક્ષ્યત્યાગ, સિનેમાત્યાગ, T.V. ત્યાગ, વિજ્રતીય પરિચયનો ત્યાગ, હોટલ ત્યાગ, ધૂમ્રપાન, તમાકુ, મસાલાઓ, આદિ ત્યાગ – આદિ બાબતોનો અભ્યાસ જરૂરી છે. શ્રી નવકારના સાધક તરીકે ઉમેદવારી માટે જપની નિયમિતતા સાથે રહેણીકરણીની વ્યવસ્થિતતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy