SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૦૩ ૩૧મા વર્ષે મંત્રદીક્ષા દ્વારા પ્રાપ્ત થયેલો નવકાર દિન-પ્રતિદિન જીવનને ઓપ આપતો ગયો અને ઉત્તરોત્તર આત્મ-શક્તિઓના અપૂર્વ વિકાસની કક્ષા ગુરુકૃપાએ મેળવી શકયો. આ બધો પ્રતાપ સામાચારી – પાલન અને મૂળભૂમિકાની શુદ્ધિનો છે. તેથી તમારે પણ આખા દિવસનાં અનેક કામો પછી અત્યંત થાકેલ શરીર, ખિન્ન મન, શ્રમિત મગજની ભૂમિકાએ રાત્રે લા. વાગે કરાતા જાપના બદલે ગયા પત્રમાં સૂચવ્યા પ્રમાણે સવારે ૪ થી ૬માં ફ્રેશ માઈડથી જાપ પછી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા, રાત્રે સામાયિક, રાત્રિભોજન, અભક્ષ્યનો ત્યાગ આ બધું સહયોગમાં લો તો અંતરની આત્મશકિતઓના ઝણઝણાટનો અનુભવ તમે પણ કરી શકો. d; ४८ પાલનપુર ૪-૧૦-૮૩ વિ. શ્રી નવકારના જાપમાં સ્થિરતા થાય ત્યારે જાણવું કે અંતરની શક્તિઓના પગથારે આપણે આવી પહોંચ્યા. અનાદિકાલીન સંસ્કારો આપણી અંતરની શક્તિઓને રૂંધી રહ્યા છે. પણ શ્રી નવકાર મહામંત્રનું આલંબન મળ્યા પછી શાશ્વત શ્રી નવકાર મહામંત્રના દિવ્ય વર્ણોની અદ્ભુત શકિતથી જ્યારે અંતરની શક્તિઓને અવરોધનારા મોહના સંસ્કારો ઓગળવા માંડે એટલે અંતરની શક્તિઓનો સ્રોત આત્માના કેન્દ્રમાંથી વહેવા માંડે. પરિણામે શ્રી નવકાર સિવાય બીજા કશામાં મન રમે જ નહીં. કેમ કે શ્રી નવકાર વિના મનને આકર્ષનારાં બીજાં બધાં સાધનો સરવાળે મોહના સંસ્કારોને વધારી અંતરની શક્તિઓને અવરોધનારાં છે. આ જાતની સ્પષ્ટ વિચારણા આપણામાં પરિપકવ થવી જરૂરી છે. જેમ જેમ આપણે શ્રી નવકારના જાપમાં નિયત સમય - સ્થળ - સંખ્યા આદિ ધોરણને જાળવી પ્રવર્તીએ તેમ તેમ આપણું મન શ્રી નવકારમાં લીન થાય જ. આ સનાતન સિદ્ધાંત આપણે આચરણ દ્વારા અમલમાં મૂકવાની ખાસ જરૂરી છે. અંતરના ઉલ્લાસ(Mood)ની બહુ રાહ જોવી સારી નહીં. અંતરનો ઉલ્લાસ આવવા આડે રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy