SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨) પછી પરમેષ્ઠીઓના ગુણો અને તેમનાં ઉપકારી કાર્યોના સ્મરણથી ભાવ નમસ્કારનું શરીર ઘડાય છે. ૩) તેમાં મોહનીય કર્મની નિર્જરાના ભાવના ઉમેરાથી પ્રાણપૂર્તિ થાય છે. આ રીતની ભાવનમસ્કારની સાધના એ જીવનનું પરમ કર્તવ્ય બની રહે છે. આ માટે કેટલાંક જરૂરી જીવનસૂત્રો છે. ૦ સંકુચિત વિચારો દોષદષ્ટિ જન્માવે છે. ૦ ટૂંકી દૃષ્ટિ વિચારોમાં ક્ષોભ જન્માવે છે. ૦ વિચારોની ગંભીરતા સમતાભાવ લાવે છે. ૦ વિચારોમાં ઉદારતા ગુણદષ્ટિની સર્જક છે. ૦ બીજાના દેખાતા દોષોનું પ્રમાણ આપણા દષ્ટિદોષના જવાથી ખૂબ ઘટી જાય છે. ટૂંકમાં જીવનશક્તિઓના પ્રવાહને ટૂંકી વિચારસરણી અને મમતા-અહંકારની ટૂંકી નીકમાં વહેવડાવવાના પરિણામે દૂષિત=ગંદી થવા પામે છે. માટે આદર્શ વિચારધારા અને ઉદાત્ત જીવનચર્યાના ધોરણે જીવન શકિતનું વહેણ જીવન સાગરને નવપલ્લવિત કરે છે. થા ४ પાલનપુર ૭-૯-૮૩ વિશ્રી નમસ્કારના પ્રભાવે તમો ક્ષેમકુશળ હશો. તમારી આરાધનામાં તમે નિબંધ ચાલતા હશો. હું તમને આ વખતે એક મહત્ત્વની વાત જણાવવા ઈચ્છું છું કે, શ્રી નવકાર એ શાશ્વત મંત્ર છે. દરેક ગતિમાં, દરેક ક્ષેત્રમાં, દરેક ગામમાં, નાનાં મોટાં સઘળી પ્રાણીઓમાં શ્રી નવકાર હોય, હોય ને હોય જ! આ ઉપરથી શ્રી નવકારનાં આંદોલનો જગતના વાતાવરણમાં કદી મંદ બનતાં નથી. સતત એના આંદોલનો ઊઠે છે. તીવ્ર ગતિએ બધે ફેલાય છે. આરાધક પુણ્યાત્માઓને તે ઝડપથી આત્મશુદ્ધિ તરફ લઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy