SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર ચંદ્રિકા 5TU પાલનપુર ૩-૮-૮૩ તમો બધા શ્રી નવકારના ચરણે જીવન શક્તિનું નૈવેદ્ય યથાશક્તિ સમર્પિત કરી જીવન ધન્ય બનાવતા હશો. સમર્પણ વિના ઈષ્ટફળ સિદ્ધિ શકય નથી. ખેડૂત અર્થે પેટે ભૂખ્યો રહીને પણ અનાજ ધરતી માતાને સમર્પિત કરે છે – તો એક દાણાના સેંકડો દાણા પાછા મેળવે છે. જોકે તેમાં પુણ્યનો યોગ પ્રબળ છે. પુણ્ય વિના બીજ વાવ્યા પછી સરખો વરસાદ ન આવે કે જીવાત આદિનો ઉપદ્રવ થાય તો અનાજ ન પણ મળે, પણ પંચપરમેષ્ઠીઓને અગર શ્રી નવકાર માતાને અનકન્ડીશનલ બિનશરતી નિખાલસ દિલે તુંહી તુંહી ના ભાવથી સમર્પણ કરાય તો પછીના પ્રોસેસમાં પુણ્યની જરૂર નથી. સમર્પણ પાછળ રહેલી શ્રદ્ધા, ભકિત, વિનય આદિથી થયેલ મોહના ક્ષયોપશમની ભૂમિકાના બળે ઊપજતી સાહજિક વિશિષ્ટ આત્મશુદ્ધિના બળે ઓટોમેટીક આત્મશકિતઓના પ્રોગ્રેસ રૂપ પ્રોસેસ થવા પામે છે. માત્ર જરૂર છે અંતરના સમર્પણની ! સમર્પણ બુદ્ધિ કે મનનું નહીં, પણ અંતરમાંથી ઊગવું જોઈએ. વિચારજન્ય સમર્પણ થોડેક સમય ટકે, પછી બુદ્ધિ, મનને સંતોષ ન થાય એટલે સમર્પણભાવ ઘટવા પામે છે. પરિણામે શ્રદ્ધા-ભકિત, વિનય-બહુમાન વગેરે પણ ઓસરી જાય છે. અંતરનું સમર્પણ એટલે અત્યારની આપણી વૃત્તિઓની ગુલામીનું કર્મ પરવશતાનું સજગ ભાન, પછી આમાંથી છૂટવા માટે શ્રી નવકારમંત્ર જે મંત્ર નહીં – મહામંત્ર બબ્બે મંત્રશિરોમણિ છે. કેમ કે દુનિયાના મંત્રો પુણ્યના આધારે ફળ આપે છે ત્યારે શ્રી નવકાર આપણા પુણ્યનો ખજાનો કંગાળ હોય છતાં અંતરની શ્રદ્ધા, ભકિત, બહુમાનના આધારે આપણને શરણાગત તરીકે સ્વીકારી અંતરની શકિતઓ યથાયોગ્ય વિકાસ કક્ષાનુરૂપ કરી દે છે. આવા મંત્ર શિરોમણિ શ્રી નવકાર ભગવંતના શરણે આપણી જાતને વૃત્તિઓની ગુલામી કે કર્મ-પરવશતામાંથી છોડાવવાના ધ્યેયથી સોંપી દેવી તે અંતરનું સમર્પણ છે. આવું સમર્પણ બુદ્ધિ, ભણતર કે વિચારોથી નથી આવતું, પણ જ્ઞાની સદૃગુરુના શરણે જાતને આજ્ઞાપૂર્વક ગોઠવી તેમની અનુજ્ઞા પ્રમાણે શ્રી નવકારનો નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાથી જાપ બહોળી સંખ્યામાં કરવાથી મોહનાં આવરણો ખસવાથી આપોઆપ આવું અંતરનું સમર્પણ કેળવાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy