SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૫00 ચોર ૮ સ્ત્રીઓ ૮ સ્ત્રીઓની માતા ૮ સ્ત્રીઓના પિતા ૧ પોતાની માતા ૧ પોતાના પિતા પ૨૬ સાથે જંબુસ્વામીએ પરણ્યાના બીજા દિવસે સુધર્માસ્વામીજી પાસે દીક્ષા લીધી. આ જંબુસ્વામીજી જેવા મહાપુરુષ પૂર્વભવમાં કેવી રીતે વગર ઉલ્લાસે વગર મૂડે પણ જ્ઞાનીની નિશ્રાએ વિધિવત્ સમર્પણ કરી ધર્મક્રિયા વિધિપૂર્વક આચરી હતી, તેનું પરિણામ તેઓ આવા મહાપુરુષ બન્યા. પૂર્વભવમાં મોટા ભાઈની શરમથી તરતની પરણેલ નાગિલા નામની પોતાની સ્ત્રીને મૂકી વગર ઈચ્છાએ દીક્ષા લીધેલ, ૧૨ વર્ષ સુધી પરણેલી સ્ત્રી પાસે જવાના ખરાબ વિચારો થતા પણ મોટા ભાઈની શરમથી સંયમ - સાધુપણાની બધી ક્રિયાઓ કરતા, જરાપણ અંતરનો ભાવ (Mood) ન હતો પણ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે નિયત સમયે પદ્ધતિપૂર્વક વિધિ સાથે બધી ક્રિયાઓ કરી. તેના પરિણામે બીજા ભવમાં મોહનાં આવરણો તેમને નડ્યા નહીં. વિધિપૂર્વક શાસ્ત્રમર્યાદાની વફાદારી સાથે ક્રિયાઓ કરવાથી મોહનાં આવરણો જર્જરિત થઈ ગયાં. એટલે શ્રી નવકાર ગણવામાં શરૂમાં ઉલ્લાસ (Mood) ન હોય તો પણ નિયત સમયે – વિધિના પાલન સાથે જાપ ચાલુ રાખવાથી અંતરના મોહનાં આવરણો – કે જેનાથી ઉલ્લાસ (Mood) નથી આવતો તે બધાનો ઘટાડો થવા માંડે, તે જાપના માધ્યમથી શ્રી નવકાર પોતાની શક્તિને આરાધકમાં ઉતારે છે. જાપ સાથે જ્ઞાની – નિથા અને વિધિ-શુદ્ધિ બે ખાસ જરૂરી છે. તેનાથી જાપની શકિત વ્યવસ્થિતપણે આપણામાં કામ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy