SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ દરિદ્ર ને દરિદ્રનારાયણ લતાકુંજોમાં દ્રાક્ષ પાકી ગલ થઈ જાય, તે વખતે જ કાગડાની ચાંચ પાકે. અભાગિયા જીવોની ભાગ્યરેખા જ આવી હોય છે. વૈશાલીના શાખાનગર બ્રાહ્મણ કુંડગ્રામનો બ્રાહ્મણ સોમશર્મા આવો અભાગી જીવ હતો. બિચારો માત્ર ચપટી લોટ માટે મગધ, વિદેહ ને અંગ-બંગની ખાખ છાણતો ફર્યો, ને અહીં કુમાર વર્ધમાને સોના-રૂપાની રેલ વહેવરાવી દીધી ! આવતી કાલે તો જેવું જેનું નસીબ, પણ આજ કોઈ ઊણું-અધૂરું ન રહ્યું ! સોમશર્મા દેશવિદેશની ધૂળ છાણતો ઘેર આવ્યો. એને આશા હતી, કે ઘણે દિવસે ઘેર જાઉં છું, તો ભટાણી આગતા-સ્વાગતા કરશે, બે વહાલનાં વચન કહેશે. પણ ભાગ્ય કોનું નામ ! ભટાણી શર્માજીને જોતાં જ ક્રોધમાં ધમધમી ઊઠી. એના હાથમાં પેંસ હલાવવાનો ચાટવો હતો. ચાટવો ઉગામી એણે કહ્યું : રે બ્રાહ્મણ ! વરસાદ તો મુશળધાર વરસ્યો, ને તું જવાસા જેવો કોરીધાકોર – સૂકો કેમ રહ્યો ?' ‘રે સ્ત્રી ! હું અહીંથી પ્રસ્થાન કરું એ પહેલાં મારું ભાગ્ય આગળ જઈને ઊભું હતું ! શું કરું? ખડિયો મારો ખાલી રહ્યો, મને ચપટી કોઈએ ન આલી ! એવું મને થયું, પણ આ તારી વાત મને સમજાતી નથી.” ભટાણી ગર્જના કરી ઊઠી : “અરે ભલા માણસ! ઘરઆંગણે મોતીના મેહ દરિદ્રને દરિદ્રહ્નારાયણ ૪ પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy