SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જય જય નંદા ! જય જય ભદ્દા.’ યાત્રા નગર બહાર આવી; જ્ઞાનવંશી ક્ષત્રિયોના જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં ઊતરી. ત્યાં આવેલા અશોકવૃક્ષ નીચે વર્ધમાન આવીને ઊભા રહ્યા. દિવસનો ચોથો પ્રહ૨ શરૂ થયો હતો. વર્ધમાને અલંકારો અળગાં કર્યાં. ઇન્દ્રિયવિજય અને આત્મસિદ્ધિની આ યાત્રા હતી. દેહદમન એમાં અનિવાર્ય હતું. રણશૂર રજપૂત લોહીથી લેખ લખે એમ, એમણે પોતાની ચાર મુષ્ઠિથી માથાના કેશ ચૂંટી કાઢ્યા. એક મુષ્ટિથી દાઢીમૂછ અળગાં કર્યાં. પરાક્રમી ૨જપૂતને પણ પાણી પિવડાવે, એવું આ પરાક્રમ હતું. અરે, આવા પરાક્રમીને શું અલભ્ય હોય ! એમણે વસ્ત્ર અળગાં કર્યાં. એ વખતે દેવરાજ ઇન્દ્રે ખભા ૫૨ સુંદર એવું દેવદુષ્ય વસ્ત્ર નાખ્યું ! મેળો જામ્યો છે. દૃશ્ય જોયું જાતું નથી. સહુની એક આંખમાં હર્ષ, બીજી આંખમાં આંસુ છે ! પ્રભાતે પૂનમનો ચાંદ જે રીતે અદશ્ય થઈ જાય, એમ વર્ધમાન ધીરે ધીરે જૂથમાંથી બહાર નીકળી ગયા. એકલા, એકાકી, ન સંગી, ન સાથી ! દિવસ ૫૨ સંધ્યા આવી. એનાં સોનલવ૨ણાં કિરણો સાથે વર્ધમાન વિદાય થયા ! ઓ જાય ! ઓ જાય ! સૌ જોઈ રહ્યાં ! સૌ વંદી રહ્યાં ! ઓ દેખાય ! ઓ દેખાય ! ને વર્ધમાનની એ દેહમૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. એ સાથે ભરેલાં હૈયાં ખળભળી ઊઠ્યાં. ધીરજનો બંધ તૂટી ગયો. રાજા નંદીવર્ધન તો મન મોકળું કરી રડી ઊઠ્યા. તેઓ કહેવા લાગ્યા : त्वया विना वीर कथं ब्रजमो । गृहेऽधुना शून्यवनोपमाने । ‘હે વર્ધમાન, હે ભાઈ, ઘર પણ અમારે વન જેવાં બન્યાં છે ! તારા વિના ત્યાં કેમ પાછા ફરાશે ?' ખરેખર, વર્ધમાન ! પહેલે પગલે આપનો વિજય થયો. ક્ષણમાત્રમાં આપે ધરને વન અને વનને ઘર બનાવ્યાં. રાજાને યોગી ને યોગીને રાજા બનાવ્યો. Jain Education International For Private & Personal Use Only ૫૬ ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy