SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ થોડી વારે ફરી પૂછયું : “પથારી થઈ ગઈ ?' ના. પથારી પાથરીએ છીએ.” જમાલિ એકદમ બોલી ઊઠ્યો : “જોયુંને ! મહાવીરનો મત કેવો ખોટો છે ? એ કહે છે કે વર્તમાને ત્રિા, રેમા વડે એ સાવ ખોટું છે ! ક્રિયા કરવી ને પૂરી થવી વચ્ચે અંતર છે. માટે મહાવીરનો મત ખોટો છે !' - એને સાચું કોણ સમજાવે ? અથવા સાચી વાત પણ ખોટી રીતે સમજવી હોય, તેને કોણ વારે ? નાચવું ન હોય, એને આંગણું વાંકું જ લાગે ને ! દરેક લોકનાયકના સિદ્ધાંતોની મશ્કરી કરનારા નીકળે જ છે. દરેક લોકનાયકના હરીફ પણ પેદા થાય છે જ. મહાવીરના શ્રમણોપાસકો અમુક કાળનું સામાયિક કરતા. એ વખતે તેઓ પોતાના વસ્ત્ર-અલંકાર દૂર મૂકતા. અન્ય મતવાળા આવીને એ ઉપાડી જતા. સામાયિક કરનારો પોતાની વિધિ પૂરી કરી જ્યારે વસ્ત્ર માગવા જતો ત્યારે પેલા કહેતા : “જા, તારા ગુરુને પૂછી આવ કે સામાયિક આદિ સ્વીકારીને બેઠેલા શ્રાવકનાં વસ્ત્રો કોઈ લઈ જાય, તો સામાયિક પૂરું થયે તે વસ્તુની શોધ કરનારો શ્રાવક પોતાની વસ્તુ શોધતો લેખાય કે પારકી ?” બીજા ધિટ્ટ લોકો કહેતા : “અરે ! સાથે સાથે એટલું પણ તારા ભગવાનને પૂછતો આવજે કે સામાયિક કરતા શ્રમણોપાસકની સ્ત્રીને કોઈ અડે તો, તે શ્રમણોપાસકની સ્ત્રીને અડે છે કે પારકાની ?' ભગવાન સંપૂર્ણ શાંત ભાવે જવાબ વાળતા : “સામાયિક કરતા શ્રાવકે મારું હિરણ્ય નથી, મારે વસ્ત્ર નથી, એમ એટલા વખત પૂરતું કહ્યું છે, પણ તેનો મમત્વ ભાવ છોડ્યો નથી. માટે તે પોતાની જ વસ્તુ શોધે છે, પારકાની નહિ.” : આમ ભગવાન મહાવીરના રાહમાં અનેક કાંટા વેરાયા. ધીરે ધીરે કેટલાય કાંટામાં તેમણે ફૂલ ખીલવ્યાં. કેટલાક કાંટાના કાંટા જ રહ્યા. કર્મની બલિહારી છે ! ૨૦૪ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy