SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રચારકના રાહમાં જેમ ફૂલ હોય છે, તેમ કાંટા પણ હોય છે. ઘણી વાર ફૂલ કરતાં તેઓને કાંટાનો સામનો વધુ કરવાનો હોય છે. જ્યારે પોતાના જ માણસો પોતાને સમજતા નથી, ત્યારે તેમની ગેરસમજ ભારે ગરબડ ખડી કરે છે. ૪૮ ફૂલ અને કાંટા ગોશાલકના પ્રસંગમાં આવી ઘટના બની હતી. એવી જ ઘટના આર્ય જમાલિની બાબતમાં બની ગઈ. વાત એવી હતી કે જમાલિમાં પૂર્વનો ઉત્સાહ નહોતો રહ્યો. અંતિમ કક્ષાનાં તપત્યાગે એને ડગાવી દીધો હતો. એક વાર એણે ભગવાનને કહ્યું : ‘પ્રભો ! હું મારા અનુયાયીઓ સાથે અન્યત્ર વિહાર કરવા ઇચ્છું છું.' ભગવાને કંઈ જવાબ ન આપ્યો. જમાલિએ બીજી વાર પ્રશ્ન કર્યો. તોય જવાબ ન મળ્યો. ત્રીજી વાર પૂછ્યું તોય ભગવાન નિરુત્તર રહ્યા. જમાલિ ભગવાનના મૌનને સંમતિસૂચક માની જુદો પડી ગયો. જમાલિ સાથે તેની પત્ની પ્રિયદર્શના (ભગવાન મહાવીરની સંસારી પુત્રી) પણ પોતાના સાધ્વીસંઘ સાથે છૂટી પડી ! ભગવાને તોય મૌન સેવ્યું. જમાલિએ પોતાનો જુદો ચોતરો જમાવ્યો. એક દિવસ એણે પોતાના શિષ્યોને કહ્યું : ‘મારે માટે પથારી કરો.’ ફૂલ અને કાંટા ૭ ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy