SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૪s એક હજાર માઈલ પગપાળા સિંધુ-સૌવીર નામનો દેશ છે. વિતભયપટ્ટન એનું રાજધાનીનું શહેર છે. ઉદાયન નામનો રાજા ત્યાં રાજ કરે છે. ઉદાયન આત્મામાં માનનારો છે. એ મનમાં વિચારે છે : રે ભગવાનનાં દર્શન કરનાર જીવોને ધન્ય છે. એ મહાજ્યોતિ અહીં આવે તો હું પણ દર્શન, વિંદન કરી યોગ્ય સેવા કરું. ભગવાન આ વખતે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં હતા. તેઓએ ઉદાયન રાજાનો મનોભાવ જાણ્યો, ને તરત તે તરફ ચાલી નીકળ્યા. એક રાજા બોધ પામે, તો હજારો પ્રજાજનો તેને અનુસરે. એ વખતમાં રાજા પર પ્રજાને એટલો ભરોસો. ચંપાનગરીથી વિતભયનગર લગભગ એક હજાર માઈલ છેટે હતું. માર્ગમાં મરુભુમિ પડતી હતી. નવા નવા ને જુવાન સાધુઓને ભૂખ ને તૃષા ખૂબ સતાવતી; છતાં આ મંડળી પ્રવાસવેગમાં લેશ પણ ક્ષતિ ન આવવા દેતી. ભૂખ અને તરસથી પાછાં પગલાં ભરે, એ ભિક્ષ નહિ, માર્ગમાં તલની ગાડીઓ મળી. ગાડામાલિકે ભિક્ષુઓને તલ આપવા માંડ્યા. નાના સાધુઓ ભગવાન પાસે આજ્ઞા માગવા ગયા. ભગવાને કહ્યું : “સાધુને સચિત્ત વસ્તુનો ત્યાગ હોય. તલ મોટે ભાગે સચિત્ત હોય છે. જોકે આ તલ અચિત્ત છે : પણ તે હું મારા જ્ઞાનથી જાણી શકું છું, પણ ભવિષ્યમાં બીજા કેમ જાણી શકશે ? માટે નિષેધ કરું છું.” એક હજાર માઈલ પગપાળા જ ૧૯૯ - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy