SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરે આગળ ચલાવ્યું : ‘દીવો આખા અંધકારને દૂર કરે, તોય એની નીચે અંધકારની છાયા રહે. માણસની બુદ્ધિ દીવાની જેમ પ્રકાશે, પણ નીચે સંશયની છાયા રહે. એ છાયા કોઈ સ્વયંસંબુદ્ધ દૂર કરે. વાત નાની, પણ ગાડાના પૈડાના ખીલા જેવી. નાનકડી ખીલી ગાડા આખાને ઊથલાવી નાખે.’ ગૌતમ સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા. અરે ! ઇંદ્રજાળી મહાવીરે ખરી ઇંદ્રજાળ કરી ! ‘પ્રિય ગૌતમ ! તારા મનમાં સંદેહ છે, કે જીવ છે કે નહિ. હું કહું છું કે જીવ છે. એ અરૂપી છે. એને વર્ણ નથી, સ્પર્શ કે ગંધ નથી, એ અવિનાશી છે, વિનાશી દેહમાં રહે છે, ને પુણ્ય-પાપનો, સુખ-દુ:ખનો કર્તા-ભોક્તા બને છે. એ કીડીના દેહમાં રહ્યો છે, ને હાથીના દેહમાં પણ વસ્યો છે; પણ એને આકાર નથી. ચૈતન્ય, વિજ્ઞાન, સંજ્ઞા આદિ લક્ષણોથી એ જાણી શકાય છે. જીવ ન હોય તો પુણ્ય-પાપનું પાત્ર કોણ થાય ? તું આ યજ્ઞ આદિ ક્રિયા કરે છે, એનું નિમિત્ત કોણ બને ? તેનું ફળ કોણ ભોગવે ?' વાણી સ૨ળ છે, નિર્મળ છે. એમાં નથી છલ-પ્રપંચ, નથી મગજ પકાવી નાખનારી યુક્તિઓ ! આટલું નિખાલસ આત્મપ્રતીતિવાળું ને નમ્ર તત્ત્વજ્ઞાન એણે સાંભળ્યું નહોતું. પાંડિત્યના પંકમાં ડૂબેલા પોતાને, જાણે બહાર નીકળી, આત્માના પંકજને ખીલવવાની કોઈ હાકલ કરતું હતું ! એમનો ઋજુસ્વભાવી આત્મા નમ્ર બની ગયો. અંદર ને અંદર જાણે એને કોઈ સાદ કરી રહ્યું હતું : ગૌતમ મહાપંડિત હતા, સાથે સત્યના શોધક પણ હતા. ‘ગૌતમ ! અભિમાન છાંડ ! ‘ગૌતમ ! પૂર્વગ્રહથી પીછેહઠ કર ! ‘ગૌતમ ! પાંડિત્યનાં જાળાં દૂર કર ! ‘ગૌતમ ! સત્યની ખોજ કર ! એમાં ખોવાઈ જા !' ‘સત્ય તો અંતરમાં બેઠું છે. લોકોની વાહ-વાહ અને હિરણ્ય જોઈ ભુલાવામાં ન પડશો.’ Jain Education International For Private & Personal Use Only ૧૬૪ ૨ ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy