SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અરે ! લોક તો ગતાનુગતિક છે. ધર્મના મામલામાં એ શું સમજે ? મારે એ માયાવીની માયાજાળ તોડવી પડશે.' ઇંદ્રભૂતિ ગૌતમે મન સાથે નિશ્ચય કર્યો, કદમ બઢાવ્યાં. તેઓ પોતાના વાદીને કયા પ્રકારના પ્રમાણપ્રમેયથી પળવારમાં ચૂપ કરવો, એના વિચા૨માં હતા : ત્યાં કોઈ અપૂર્વ સ્વર તેમના કાને અથડાયો. જાણે વેરાન વગડામાં પાવો વાગ્યો. ‘આવો, ઇંદ્રભૂતિ ગૌતમ ! કુશળ છો ને !' અરે ! ચિરપરિચિતની જેમ કોણ મને નામથી બોલાવે છે ! ઇન્દ્રભૂતિ ગૌતમને પહેલે પગલે આશ્ચર્ય થયું. પછી મનમાં વિચાર્યું કે મહાન ઇન્દ્રભૂતિને પૃથ્વીના પટ ૫૨ કોણ એવું છે, કે ન ઓળખે ? ગૌતમ ગર્વભર્યા સ્વરે બોલ્યા : ‘હે ઇંદ્રજાળી મહાવીર ! હું ઇંદ્રભૂતિ ગૌતમ. વાદ કરીને તારી ઇંદ્રજાલવિદ્યાને સંહારવા આવ્યો છું.’ ‘હું ઇંદ્રજાળી ? મહાવિદ્વાન ગૌતમ ! શાંત થાઓ ! સાચા તપસ્વીઓ ચમત્કારી હોય છે, પણ ચમત્કાર કરતા નથી. તમે નથી કહેતા, પણ હું વગર કહ્યું જાણું છું કે તમે વાદ કરવા આવ્યા નથી, પણ સંશય નિવારવા આવ્યા છો !' ‘મને સંશય ? વંધ્યાપુત્ર જેવી વાત કરી, શ્રમણ વર્ધમાન !' દ્રભૂતિ ગૌતમના મુખ ૫૨ અપ્રતિહજ તેજ વ્યાપી રહ્યું. એક મલ્લ બીજા મલ્લને કુસ્તીનું આવાહન આપે એવો એ અવાજ હતો. ‘આર્યાવર્તના મહાવિદ્વાન ! મહાનુભાવ ગૌતમ ! કેટલીક વાર હાથી આખો ને આખો નીકળી જાય છે, પણ પૂંછડે આવીને અટકી પડે છે. તું તમામ શાસ્ત્રોનું આચમન કરી ગયો છે, પણ જીવ વિશેનો તારો સંદેહ ટળ્યો નથી' પણ તેથી શરમાવાની જરૂ૨ નથી. સાચી શંકા સાચા સત્યની જનની છે !' આ તે શબ્દો હતા કે માનું વાત્સલ્ય હતું, કંઈ ન સમજાયું. ઇન્દ્રભૂતિનું મન આપોઆપ ગળી જવા લાગ્યું. મહાવીર ભારે માયાવી લાગ્યા. એમણે ટટ્ટાર રહી એની માયાથી અસ્પર્થ રહેવા પ્રયત્ન કરવા માંડ્યો. ભગવાન ઇન્દ્રભૂતિ ગૌતમ ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy