SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તમે નીરખ્યું તે જ સત્ય, એવો એકાંત આગ્રહ ન રાખો. સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય ને તેના ૫૨ની શ્રદ્ધા; બીજાની નજરનું સત્ય ને તેના ૫૨ વિચારણા. જીવનની સર્વ દૃષ્ટિને સમાવતો આ અનેકાંતવાદ ઝઘડાનાં મૂળ કાઢશે.' વાહ વાહ, શું ઉપદેશ છે ! આખી નગરીમાં ભગવાન મહાવીરના જ્ઞાનભર્યા સ૨ળ ઉપદેશની પ્રશંસા થઈ રહી. ઠેર ઠેર એક જ વાત ! મહાવીર આપણી ભાષામાં બોલે છે. એ સીધીસાદી માનવતાના પક્ષપાતી છે. એ કહે છે : માણસ પોતે જ ઈશ્વર છે. પોતે જ પોતાનું જીવન ઘડી શકે છે. ઈશ્વરની લાચારી કરવાની જરૂર નથી. નિર્ભય બનો. અભય બની સંસારભયને જીતો. સ્વ-કર્મ પર સ્થિર બનો. આ જ્ઞાનવાતો નવી હતી. વળી એ જનતાની જબાનમાં હતી, જનતાને સમજાય તેવી હતી. એની ચર્ચામાં નાનુંમોટું સહુ ભાગ લઈ શકે તેમ હતું. વચ્ચે કોઈની દખલ ન રહે તેવું હતું ! પોતાની ભાષા પોતાને મળી, એથી જાણે પોતાનું રાજ પોતાને મળ્યા જેટલો આનંદ સર્વને થયો. આજે જનતાને જબાન મળી. હવે કોઈ ઊંઠાં શું ભણાવી શકશે ? અમે જાતે બધું જાણીશું. સમજીશું, ચર્ચા કરીશું, ને પછી આચરીશું. જનતાને જબાન મળી ઋ ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy