SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નહીં ! માણસ માનવતા રાખે, તો દેવ પણ એના ચરણમાં રહે ! ‘માણસે આ માટે સત્ય ને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્યથી, પોતાના ગુણથી ને પોતાના શ્રમથી મહાન થઈ શકે છે. એ માટે જાતિ, કુળ કે જન્મ નિરર્થક છે. ‘ધર્મ સાધુ માટે છે, ને ગૃહસ્થે લીલાલહેર ક૨વાની છે, એ માન્યતા સાવ ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી ગૃહસ્થના પણ ધર્મ છે. સાધુ સર્વાંશે સૂક્ષ્મ રીતે વ્રત-નિયમ પાળે, ગૃહસ્થ યથાશક્તિ સ્થૂલ રીતે પાળે. એ માટે સાધુએ પાંચ મહાવ્રત, ને ગૃહસ્થે પાંચ અણુવ્રત ને સાત શિક્ષાવ્રત એમ બાર વ્રતવાળા ધર્મથી જીવનનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તો માણસનો બેડો પાર થઈ જાય. ‘યજ્ઞમાં પશુહિંસા ન કરો. શાસ્ત્રને છુપાવો નહિ. શૂદ્રને તિરસ્કારો નહિ. ‘મારો મુખ્ય સંદેશ છે અહિંસાનો, અવેરનો, પ્રેમનો. ‘મારો બીજો સંદેશ છે, એકબીજાને સમજવાનો. ‘હે મનુષ્યો ! તમે જે ધારો તે પ્રયત્નથી થઈ શકો છો. તમે જે ધારો તે કરી શકો છો. તમારા ભાગ્યનો વિધાતા ઈશ્વર નથી, ખુદ તમે છો. ‘મહામાનવ થવા, આત્મકલ્યાણ સાધવા તમારે કેટલાક નિયમો પાળવા જોઈએ. એ નિયમે એટલે વ્રત. એ પાંચ મહાવ્રત છે : પાંચ યામ છે. (૧) (અહિંસા) કોઈ જીવને સતાવો નહિ, મારો નહીં. બને તેટલો પ્રેમ આપો. (૨) (સત્ય) જુઠ્ઠું ન બોલો. વચનપાલક બનો. (૩) (અસ્તેય) ચોરી ન કરો. અણહકનું લેવાની – પારકું ઝૂંટવવાની દાનત ન રાખો. (૪) (બ્રહ્મચર્ય) સ્ત્રી તરફ સન્માન રાખતાં શીખો, શીલવાન બનો. (૫) (અપરિગ્રહ) સંગ્રહ ન કરો. સંપત્તિ-સાધનોની યોગ્ય વહેંચણી થવા દો. Jain Education International For Private & Personal Use Only ૧૫૮ ૨ ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy