SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરના કાનમાં નાખ્યા. પછી એને બરાબર ઠોક્યા. ને પછી એના બહાર રહેલા છેડા કાપી લીધા ! મૂર્ખને ઠીક સજા કરી, એમ માનતો ગોવાળ ચાલ્યો ગયો. ધ્યાન પૂરું થતાં મહાયોગી છમ્માણિ ગામથી વિહાર કરીને મધ્યમા નગરીએ આવ્યા. મધ્યાહ્ન સમયે ભિક્ષા માટે એ નગરીમાં નીકળ્યા. આ ગામમાં સિદ્ધાર્થ નામનો વણિક રહેતો હતો. મહાયોગી એમને ઘેર ભિક્ષા માટે ગયા. આ વખતે સિદ્ધાર્થને ઘેર ખરક નામનો કુશળ વૈદ આવ્યો હતો. એણે મહાયોગીને જોયા, ને બોલ્યો : “ભગવાનનું શરીર આમ તો સંપૂર્ણ છે, પણ દેહમાં કંઈક શલ્ય હોય એમ લાગે છે.” સિદ્ધાર્થ ભાવિક હતો. એણે કહ્યું : “જરા પાસે જાઓ, ને ક્યાં શલ્ય છે, તે જુઓ !” ખરક પાસે ગયો. એણે મહાવીરના શરીરનું નિરીક્ષણ કર્યું. તરત જણાઈ આવ્યું કે કાનમાં દર્ભમૂળના ખીલા છે. એણે સિદ્ધાર્થને વાત કરી. સિદ્ધાર્થ પરમ ભાવિક હતો. એણે વૈદને કહ્યું કે મારી પાસેથી જે જોઈએ તે લઈ લે, પણ આ મહાયોગીને આરોગ્યલાભ થાય તેમ કર ! મારાથી એમનું કરમાયેલું પન્ન જેવું મુખ જોઈ શકાતું નથી.' ખરક આ માટે કંઈક વિચાર કરે, એ પહેલાં મહાવીર ત્યાંથી ચાલ્યા ગયા. ખરકે લાંબો વિચાર કરીને કહ્યું : “આ કાષ્ઠશલાકા એમ ને એમ નીકળે એવી નથી. કાઢતાં મહાકષ્ટ પહોંચે તેમ છે. ભગવાન ધ્યાનમાં હોય ત્યારે ઉપચાર કરવો ઠીક પડશે. ધ્યાનમાં વેદનાની તેમને ખબર નહીં પડે. આપણને પણ સુવિધા થશે.” ખરક વૈદ ઔષધ તથા વૈતરાઓને લઈને ભગવાન જ્યાં કાયોત્સર્ગમાં રહ્યા હતા, ત્યાં આવ્યો. મહાવીર તો આત્મધ્યાનમાં ઊંડા ઊતરી ગયા હતા. દેહની કોઈ સૂધબૂધ રહી નહોતી. ખરકે પોતાનું કામ શરૂ કર્યું. એણે પહેલાં એક તેલથી ભરેલી કુંડીમાં મહાવીરને બેસાડ્યા. પછી વૈતરાઓ પાસે અંગેઅંગની માલિશ કરાવી સાંધે સાંધો ઢીલો કરી નાખ્યો. પછી કેટલાક માણસો મહાયોગીના કાન છે કે કોડ્યિાં ? : ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy