SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કાન છે કે કોડિયાં ? દીક્ષાનું તેરમું વર્ષ વ્યતીત થતું હતું. મહાયોગી વિહાર કરતાં કરતાં છમ્માણિ ગામે આવ્યા. ગામની બહાર તેઓ કાયોત્સર્ગ કરી ધ્યાનમાં રહ્યા. સંધ્યાનો સમય હતો. આ વખતે દીક્ષાના પહેલા દિવસે જેવો બનાવ બન્યો હતો, તેવો જ બનાવ બન્યો : એક ગોપ પોતાના બળદો તેમને ભળાવી ગામમાં ગયો. મોડો મોડો પાછો આવ્યો. જોયું તો તેના બળદ ત્યાં નહીં તેણે મહાવીરને પૂછયું : દેવાર્ય ! મારા બળદો ક્યાં ?' પણ મહાયોગી તો ધ્યાનમાં હતા. એ કઈ રીતે જવાબ વાળે ? ગોવાળે બીજી વાર પૂછ્યું. મહાયોગી કંઈ ન બોલ્યા. ગોપનો ક્રોધ વધતો ચાલ્યો. એણે કહ્યું : “રે મૂર્ખ ! આટઆટલી વાર કહ્યું તોય સાંભળતો નથી. તારે તે કાન છે કે કોડિયાં ?' પણ મહાવીર તો, તોય ચૂપ રહ્યા. વારુ, વારુ ! તારા જેવાને કુદરતે નકામા કાનનાં કાણાં આપ્યાં છે. લાવ પૂરી દઉં, એટલે તારે સાંભળવાની હંમેશ માટેની હરકત દૂર થાય.” એ અજડ ગોવાળ જાડાં દર્ભમૂળ લઈ આવ્યો. ખીલા જેવા છેડા એણે ૧૪૮ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy