SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સંસારનો કાર્ય-કારણ ભાવ ગંગા નદી બે કાંઠે ભરપૂર હતી. સુરભિપુરથી રાજગૃહ તરફ જતા મહાયોગી મહાવીરને ગંગા નદી પાર કરવાની હતી. સિદ્ધદંત નામનો નાવિક પોતાની નાવ લઈને કાંઠે ઊભો હતો. ઉતારુઓ એક પછી એક એમાં બેસતા હતા. મહાયોગી મહાવીર પણ ગંગા પાર કરવા ઉતારુઓની સાથે નાવમાં ચઢ્યા. સમય થતાં કિનારેથી નાવ ઊપડી. આ વખતે એકાએક જમણી બાજુના કિનારા પર ઘુવડ બોલ્યું. ધોળો દિવસ, છતાં ઘુવડ બોલ્યું ! આ નાવમાં ખેમિલ નામનો એક નિમિત્તવેત્તા બેઠો હતો, એ એકાએક બોલી ઊઠ્યો : ‘ભાઈઓ ! આ ઉલૂકનિ સાંભળ્યો ને ? ભારે અપશુકન ગણાય એ તો ! આજ આપણને પ્રાણાન્તક કષ્ટ આવી પડે તો ના નહિ.’ ખેમિલ આમ બોલતો બોલતો બધા પ્રવાસીઓ તરફ ભયથી નજર ફેરવવા લાગ્યો; ત્યાં તેની દૃષ્ટિ નાવના એક ખૂણે બેઠેલા મહાયોગી મહાવીર પર પડી. નજર પડતાંની સાથે એના મુખ પર હર્ષની રેખાઓ તરવરી ઊઠી. એ હર્ષની કિકિયારી સાથે બોલ્યો : ‘ભાઈઓ, નિશ્ચિંત રહેજો. જેમ એકના પાપે વહાણ ડૂબે છે, તેમ એક પુણ્યવંતના પુણ્યે ડૂબતી નૌકા તરે છે. આપણામાં એક માણસ એવો છે, કે જેના પુણ્યે આજ આપણે તરીશું.' સંસારનો કાર્યકારણ ભાવ ૨ ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy