SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બધો થાક ! રોજ ચારો ચરવા સો જોજન કાપતાં જે શ્રમ નહોતો કળાતો, એ ત્રણ પ્રદક્ષિણામાં અનુભવ્યો, પ્રદક્ષિણા કરીને એ ત્યાં પડ્યો. બીજે દિવસે કેટલાક કૌતુકી ગોવાળિયા ડરતાં ડરતાં દૂરથી ડોકિયું કરવા આવ્યા. જોયું તો મહાવી૨ સ્વસ્થ ઊભા છે; સાપ ચરણમાં પડ્યો છે. અરે ! આ તો અપૂર્વ અચરજ ! વાત વાએ ચઢી. થોડી વારમાં ગામલોકો એકત્ર થઈ ગયા. લોકોએ આત્માની આ પ્રેમભાષાને ચમત્કાર માન્યો. ચમત્કારમાં શ્રદ્ધા રાખનારા આત્માને ખોઈ નાખે છે; તેઓ સ્વાર્થની પૂજા આદરે છે. શાંત ચંડકૌશિક લોકોની પૂજાનું પાત્ર બન્યો. ઘી-દૂધ એના દેહ પર ઢોળાવા લાગ્યાં. લોકો તો ચંચળ બુદ્ધિના છે. જરાક કંઈક નવતર જોયું કે મંડ્યા માથું નમાવવા. જરાક બખડજંતર જોયું કે લીધો ધોકો ને સામા ધાયા. આ માટે સાચા આત્માના ઉપાસકો લોકેષણામાં પડતા નથી. કોઈ માથું નમાવે તો રાજી થતા નથી, કોઈ માથું ફોડે તો રાજી થતા નથી. ઘીની સુગંધે કીડીઓ આવીને સાપના દેહને ચટકા ભરવા લાગી. પંદર દિવસ ચંડકૌશિક સાપ એમ ને એમ પડ્યો રહ્યો. ન ખાધું, ન પીધું. આખરે કીડીઓએ એનો દેહ ફોલીને ચાળણી જેવો કરી નાખ્યો. ક્ષમાસાગર ચંડકૌશિક ન હાલ્યો, ન ચાલ્યો. બીજી તરફ લોકોની ભક્તિ વધી, પણ લોકોની ઘી-દૂધ ને નૈવેદ્યની એ પૂજા છેવટે સાપનો પ્રાણ લઈ ગઈ ! સાપ ગયો, વાટ ખૂલી. આશ્રમ જીવતો થયો. ફરી વાર ત્યાં લીલાલહેર વરતાઈ ગઈ. ભયની સામે અભયનો જય થયો. મહાવીર હવે ત્યાંથી ચાલી નીકળ્યા. પંદર દિવસના ઉપવાસનું પારણું ઉત્તર વાચાલામાં જઈને નાગસેનના ત્યાં કર્યું. નાગસેનના ત્યાં ઉત્સવ ચાલતો હતો . એનો પુત્ર બાર બાર વરસે ૫૨દેશના પ્રવાસેથી સુખરૂપ પાછો ફર્યો હતો. ભય સામે અભય ૨ ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy